KEY POINTS :
“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ 1925માં વિજયા દસમીનના રોજ થઈ”
“સંઘના સ્થાપક સરસંઘચાલક ડો.કેશવ બલીરામ હેડગેવારજી રહ્યા હતા”
“મહારાષ્ટ્રના નાગપુર સ્થિત મોહિતેવાડા મેદાન ખાતેથી કરાવ્યો હતોપ્રારંભ”
“દેશમાં સાંસ્કૃતિક,સામાજિક અને રાજકીય ઉત્થાન માટે સંઘ સમર્પિત”
“ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્રનિર્માણમાં મહત્વની ભૂમિકા”
“સંઘ પોતાની સ્થાપનાની શતાબ્દિ વર્ષની કરવા જઈ રહ્યો છે ઉજવણી”
“ભારતનું ભવિષ્ય-સંઘનો દ્રશ્ટિકોણ વિષય પર પરિસંવાદ યોજાયો”
“દિલ્હી ખાતે યોજાયેલ ત્રિ દિવસીય પરિસંવાદમાં સરસંઘચાલકજીનું બૌદ્ધિક”
“પરિસંવાદના પ્રથમ દિવસે ડો.મોહન ભાગવત જીએ સંઘ વિશે આપી માહિતી”
“રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે જાણવા ગણમાન્ય તજજ્ઞો હાજર રહ્યા હતા”
“ડો.મોહન ભાગવતે સ્થાપક સરસંઘ ચાલક ડો.કેશવ હેડગેવાર વિશે માહિતી આપી”
ભારતની સ્વતંત્રતા અને ત્યારપછીના રાષ્ટ્ર નિર્માણમાં ઘણા સંગઠનોએ મહત્વની ભૂમિકા ભજવી,પરંતુ જે સંગઠન છેલ્લા સો વર્ષથી સાતત્ય અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરી રહ્યું છે તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘની યાત્રા માત્ર સંગઠનાત્મક નથી,પરંતુ તે એક વૈચારિક યાત્રા છે,જે સમાજના દરેક વર્ગને એક કરીને ભારતને સાંસ્કૃતિક,સામાજિક અને રાજકીય રીતે મજબૂત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
1. ” ભારતનું ભવિષ્ય – સંઘનો દ્રશ્ટિકોણ” ત્રિ દિવસીય પરિસંવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કદાચ હજુ પણ કેટલાકલોકો વધુ સમજવા માંગે છે.ત્યારે સંઘના દિલ્હી એકમ દ્વારા 17,18 અને 18 સપ્ટેમ્બર 2018ના રોજ દિલ્હી ખાતે ત્રિ દિવસીય એક બૌદ્ધિકનું આયોજન કરાયું જેનો વિષ્ય હતો. ” ભારતનું ભવિષ્ય સંઘનો દ્રશ્ટિકોણ” આ સત્રમાં દેશના ગણમાન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા,જેમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડો. મોહન ભાગવત જી એ સંબોધન કર્યુ હતુ.
2. સંઘ શું છે તેની વાસ્તવિક્તા સમજવા આયોજન
આ કાર્યક્રમ સંઘને સમજવા માટે આયોજિત કરવામાં આવ્યો હતો કારણ કે સંઘ હવે આ દેશમાં એક શક્તિ તરીકે હાજર છે.આખી દુનિયા પણ એવું જ અનુભવે છે. સ્વાભાવિક રીતે, તેના વિશે ચર્ચા થાય છે. અને તે થવી જોઈએ. પરંતુ તેની ચર્ચા કરવા માટે, વાસ્તવિકતા પણ જાણવી જોઈએ. ચર્ચા કેવી રીતે થવી જોઈએ તે ચર્ચા કરનારાઓનો અધિકાર છે. પરંતુ વાસ્તવિકતા શું છે? જે જાણીને ચર્ચા થાયો તો તેનો સાર્થક નિષ્કર્ષ નિકળે .
3. સંઘનું પોતાની કામ એ અલગ પ્રકારનું કાર્ય
સંઘનું પોતાની કામ એ અલગ પ્રકારનું કાર્ય છે.આ કાર્યની તુલના કરે તેવો કઈ કંપેરેરલ કઈ દેખાતો નથી.તેથી જાણ્યાવિના ચર્ચા થાયો તો ખોટી ધારણોઓનો સંભવ વધી જાય છે.સંઘનો કાર્યકર એટેલે સ્વયંસેવક પોતાનું કાર્ય સતત કરો રહે છે પ્રચાર-પ્રસાર કરવામા નથી આવતો પણ જે પ્રકારં કાર્ય કરતા કરતા સંઘની શક્તિ વધે છે અને તે શક્તિનું જ્ઞાન થતા માધ્યોનું ધ્યાન જાય છે અને પ્રચાર આપો આપ થતો હોય છે.
4. સંઘ ચર્ચામાં આવે ત્યારે લોકોમાં સંઘ વિષે જાણવાની ઉત્કંઠા પેદા થાય
સંઘ જ્યારે પણ ચર્ચામાં આવે ત્યારે લોકોમાં સંઘ વિષે જાણવાની ઉત્કંઠા પેદા થતી હોય છે.જ્યારે કોઈ કામ વધે છે ત્યારે સંઘની શક્તિ વધી જાય તો તેનાથી કેટલાકને તેનો ડર પણ લાગે છે.અને તેથી તેનો અપપ્રચાર પણ થાય છે.તેમાં કોઈ વાત અજરજ પમાડે તેવી કે અસ્વાભાવિક નથી.પરંતુ દિલ્હી પ્રાંતના અગ્રણીઓએ વિચાર્યુ કે એકવાર સંઘની વસ્તિ સ્થિતિ શું છે,તે પ્રભાવિક રીતે દિલ્હીના પ્રતિષ્ઠિત લોકો સમક્ષ કહવામાં આવે અને તેમના કોઈ પ્રશ્નો હોય તના માટે આ સમયે આ કાર્યક્રમ યોજાયો છે.કારણ કે વસ્તુસ્થિતિ જાણવી આવશ્યક છે.જે આપની સમક્ષ રાખવા પ્રયાસ કરી રહ્યો છે.
5. અમારો ઉદ્દેશ્ય આપને કન્વિન્સ કરવાનો નથી
પૂજ્ય સરસંઘચાલકજીએ શરૂઆતમાં જ કહ્યુ કે જોકે સંઘની વાસ્તવિક વસ્તુસ્થિતિ આપ સૌ સમક્ષ રાખીને અમારો ઉદ્દેશ્ય આપને કન્વિન્સ કરવાનો નથી.થવુ ન થવુ તે આપનો અધિકાર છે.પણ જે છે તે પ્રસ્તુત કરાશે આગળ તેમાં શોધ – સંશોધન કરવુ તે આપનુ કાર્ય છે.પણ જે ચર્ચા આપને જાણકારી બાદ થશે તે સંઘની અધિકૃત જાણકારીના આધારે થશે તે આમારા માટે કાફી છે.
6. જો સંઘને સમજવો હોય તો ડો.હેડગેવારજીને સમજવા પડે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યુ કે જો સંઘને સમજવો હોય તો
ડો.હેડગેવારથી પ્રરંભ કરવો પડે કારણ સંઘના તે નિર્માતા એટલે કે સ્થાપક હતા.તેમણે આગળ કહ્યુ કે ડો.હેડગાવારજીએ પોતાના સ્વરૂપ બીજને માટીમા ભેળવી દઈ સંઘના વૃક્ષન્ વટવૃક્ષ બનાવ્યું. અને એટલે જ સંઘના કોઈ પણ કાર્યમાં ડો.હેડગેવારજીના માનસનુ પ્રતિબિંબ જોવા મળે છે.ત્યારે ડો.હેડગેવારજીને જાણ્યાવિના સંઘને જાણવો કઠીન છે.આજે આપણે સંઘને જાઈએ તો ડો.હેડગેવારજીનું માનસ કેવુ હતુ તેની ઝલક મળે છે.એટલે સમજવા માટે ત્યાંથી શરૂઆત કરવી પડે છે.
7. સ્થાપક સંરસંઘચાલક ડો.હેડગેવારજીનો પરિચય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્તમાન સરસંઘચાલક ડો.મોહન ભાગવતે સ્થાપક સરસંઘચાલક ડો.કેશવ બલિરામ હેડગેવારજીનો પરિચય આપતા કહ્યુ કે નાગપુરના એક કનિષ્ઠ મધ્યમવર્ગીય પૌરોહિત્ય પર જીવન નિર્વાહ કરવાવાળા વેદજ્ઞ પરિવારમાં તેમનો જન્મ થયો.ઘરની પરિસ્થિતિ બહુ સારી ન હતી,ત્રણ ભાઈ હતા તેમનાથી મોટા બે ભાઈ હતા.
8. કેશવ હેડગાવાર જન્મજાત દેશભક્ત
એક સમયે સ્વતંત્રતાની વાત સમાજમાં ચાલી રહી હતી.નાગપુરમાં અંગ્રેજો આવ્યા તે પહેલા રાજા ભોસલે હતા.તેમનુ રાજ કેવી રીતે છીનવાયુ તેની ચર્ચા હતી.લોક કલાકારો,કથાકારો આ પ્રકારની ચર્ચા કરતા હતા.
આ વાતારણમાં નાનપણથી જ કેશવ હેડગેવાર સ્વતંત્રતાની આકાંક્ષા સાથે મોટા થયા એટલે સંઘમાં તેમને જન્મજાત દેશભક્ત કહેવામા આવે છે.કારણ કે ખૂબ જ નાની ઉંમરમાં પ્રાથમિક શાળામાં ધોરણ – 3 માં ભણતા હતા.ત્યારથી આ દેખાતુ હતુ.
9. કેશવ હેડગેવારનો નાનપણનો દેશ ભક્તિનો કિસ્સો
વિક્ટોરીયા મહારાણીના રાજ્યાભિષેકની જ્યુબિલિ ભારતમાં થઈ બ્રિટિશોનું રાજ્ય હતુ તેથી શાળાઓમાં તેના કાર્યક્રમો કરવા ફરજીયાત હતા.અને તે થયા અને હેડગેવારની શાળામાં પણ કાર્યક્રમ થયો અને તે નિમિત્તે મીઠાઈ વહેંચવાનમા આવી.પણ આ મીઠાઈ હેડગેવારજીએ કચરામાં ફેંકી દીધી.ત્યારે શિક્ષકે તેમને પૂછ્યુ કે તમને માઠાઈ નથી ભાવતી ? ત્યારે તેમણે જવાબ આપ્યો કે આપણને ગુલામ બનાવનારના રાજ્યારોહણ સમારોહની મીઠાઈ આપણા માટે મીઠાશ કેવી રીતે બને અને આ દિવસ આપણા માટે ઉત્સવનો દિવસ કેવી રીતે હોઈ શકે ? આ તો આપણા માટે શોક દિવસ છે.આ પ્રકારે પ્રાથમિક શાળામા ભળતા ત્યારથી આ બાળકમાં આવા રાષ્ટ્ર ભક્તિના વિચાર તેમનામાં બાળપણથી જ હતા તે અહી સ્પષ્ટ થાય છે.
10. કેશવ હેડગેવારજીના માતા-પિતાના એક જ દિવસે અવસાન
આ ઉપરાંત કેશવ હેડગેવારજીનો આગળનો અભ્યાસ પણ ખૂબ કઠીન પરિસ્થિતિમા કરવો પડ્યો કારણ કે 11 વર્ષના હતા ત્યારે એક જ દિવસે તેમના માતા-અને પિતાનું પ્લેગ રોગ દરમિયાન સેવાકાર્ય કરવાને કારણે અવસાન થયુ હતુ.ઘરમાં કમાવાનું કોઈ સાધન ન હતુ.અત્યંત દરિદ્રતા ભરી પરિતિથિતિમાં તેમને પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડ્યો
11. કેશવ હેડગેવારના બે મહત્વના સિદ્ધાંત
આટલા કપરા સમયમાં પણ હેડગેવારજીએ તેમના જીવનમાં બે સિદ્ધાંતો જીવનભર પકડી રાખી જેમાં એક તો અભ્યાસ દરમિયાન તેમની શાળામાં પ્રથમ 10 માં નંબર લાવવો અને બીજુ દેશ હિતમાં કોઈ પણ કાર્ય થતુ હોય તે તન-મન પૂર્વક સહભાગી થવું તો આ પ્રકારે સાર્વજનિક જીવનની દીક્ષા બાળપણથી જ તેમના જીવન માં વણાઈ ગઈ હતી.
12. વંદે માતરમ આંદોલનમાં સહભાગી થયા
કેશવ હેડગેવારજી યુવાવસ્થાએ પહોંચ્યા ત્યારે તે સમયે દેશમાં વંદે માતરમ આંદોલન શરૂ થયુ હતુ.તે વખતે નાગપુરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનું સંગઠન કરવા વાળું જે યુથ મંડળ હતુ તેમાં ડો.હેડગેવારજી પ્રમુખ ભૂમિકામાં રહ્યા હતા.તેમની કાર્યપદ્ધતિ એવી હતી કે જ્યારે શાળાના ઈન્સ્પકેશન માટે અધિકારી આવે ત્યારે તેમનુ સ્વાગત વંદે માતરમના નારાથી કરવામાં આતુ હતુ.જેના કારણે ગભરાયેલી અંગ્રેજી સરકારે નાગપુરની તમામ શાળાઓ બંધ કરી દીધી હતી.અને તેના આંદોલનકારી કોણ કોણ છે તેના તપાસ હાથ ધરી હતી.પરંતુ હેડગેવારજીએ એટલુ મજબૂત સંગઠન બનાવ્યુ હતુ કે ચાર મહિના વિત્યા છતા એક પણ નામ આંદોલન કારીનું સામે ન આવ્યુ
13. કેશવ હેડગેવારજીવની દેશ ભક્તિનો વધુ એક કિસ્સો
છેવટે વિદ્યાર્થાઓ અને અગ્રણીઓ અને અધિકારીઓએ એક સમાધાનકારી નિર્ણય લીધો.કે શાળાઓ ફરી શરૂ કરવી પરંતુ શાળાના આચાર્ચ દરવાજે ઉભો રહે અને દરેક વિદ્યાર્થીને પૂછે કે ભૂલ થઈ હતી ? ત્યારે જે બાળક માથુ હલાવા હામી ભરે તેને પ્રવેશ મળતો તેમા પણ બે વિદ્યાર્થીઓ એવા હતા જેમણે ભૂલ સ્વિકાર કરવાની ના પાડી દીધી તેમાના એક કેશવ હેડગેવાર હતા.તેથી તેમને શાળામાથી બહાર કરી દેવાયા હતા.
14. કેશવ હેડગેવારનો મેડિકલ ક્ષેત્રે અભ્યાસ
કેશવ હેડગેવારજીને શાળમાથી બહાર કરી દેવાયા પરંતુ આવા આંદોલનોમાં જેમનો અભ્યાસ છૂટી જાય તેમના માટે આપણા નેતાઓએ રાષ્ટ્રીય વિદ્યાલયો શરૂ કર્યા હતા.અને તેમાં હેડગેવારજી ભણ્યા અને મેટ્રિકની પરીક્ષામા પ્રથમ ક્રમાક ગુણ સાથે પાસ કરી.હવે આ વંદે માતરમ આંદોલનના સક્રિયતા અને તેમના હ્રદયમાં ભડકેલી ભાવના અંગે નાગપુરના આપણા નેતાઓને દેખાઈ આવી.એટલે જ તે વખતના નેતાઓએ હેડગેવારજીને નેશનલ મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે કલકત્તા મોકલ્યા જ્યાં તેમણે મેડિકલ અભ્યાસ પૂર્ણ કર્યો.
15. ડોક્ટરીના અભ્યાસ સાથે આંદોલનમાં સહભાગિતા
ભણવાનું તો બહાનુ હતુ પણ તેમને કલકત્તા મોકલવાનું મૂળ કારણ એવું હતુ કે તે વખતે દેશ ભરના ક્રાંતિકારીઓની કો-ઓર્ડિનેશન કમિટી ત્યા ચાલતી હતી તેનું નામ હતુ અનુશીલન સમિતિ હતુ.
આ સમિતિના સંપર્કમાં આવ્યા બાદ વેકેશનમાે કેશવ જ્યારે નાગપુર આવે ત્યારે ક્રાંતિકાર્ય સેન્ટ્રલ પ્રોમિન્શન બેરારના વિસ્તારમાં સ્થાપિત કરે આ બંને કામ હેડગેવારજીએ ખૂબ જ કૂશળતા પૂર્ણ કર્યા.ચાર વર્ષ બાદ મેડિલક કોલેજની અંતિમ પરીક્ષા પ્રથમ ક્રમાંક ગુણ સાથે પાસ કરી.આ ચાર વર્ષમાં અત્યંત કઠીન પરીક્ષાઓ આપીને અનુશીલન ક્રાંતિકારી કમિટિમી કોર કમિટીમાં સામેલ થયા તેમનો કોડ નામ એ વખતે કોકેન હતો.રાજસ્થાનથી આંધ્રપ્રદેશ સુધી ક્રાંતિકારકોને લાવવા તેમની આજીવીકાનું વ્યવસ્થાપન કરવું શસ્ત્ર વગેરે આપવા તે તમામ કાર્ય તેમણે કર્યા હતા.
16. ડો.હેડગેવારજીએ રાષ્ટ્રહિતને જીવન સમર્પિત કર્યું
જોકે આગળ જતા ક્રાંતિકારી આંદોલ અસફળ થયુ શસ્ત્ર લાવતા જહાજ કિનારા પર જ પકડાઈ ગયા તેમના આંતરિક સૂત્રો પણ પકડાઈ ગયા પણ તે વખતે તેમણે એક નિશ્ચય કર્યો કે પોતાનું સમસ્ત જીવન દેશ હિત માટે જ જીવવું છે.કોલેજની પરીક્ષા પાસ કર્યા બાદ આચાર્યએ તેમને કહ્યુ કે તમે જવા માંગતા હોય તો બ્રમ્હ દેશ એટલે હાલનું બર્માંમાં તમારા માટે એક સારી નોકરી છે.ત્રણ હજાર લેખે વાર્ષિક વેતન મળશે.ત્યારે ડો.હેડગેવારજીએ કહ્યુ કે મેં નોકરી ન કરવા નિર્ણય કર્યો છે.અને તેઓ પરત આવી ગયા.એક ડોક્ટર બનેલો વ્યક્તિ એ જમાનાંમા ખૂબ ઓછા ડોક્ટર્સ હતા જો પ્રેક્ટિસ કરતા તો ઘણા પૈસા મેળવતા થયા હોત.પણ એમનો તો નિશ્ચય હતો કે કમાવુ નથી પરંતુ દેશ કાર્યમાં લાગી જવું છે.
17. ડો.કેશવ હેડગેવારજીની આજીવન રાષ્ટ્રકાર્યની પ્રતિજ્ઞા
ડોક્ટર બનીને આવ્યા એટલે લગ્નના માંગા પણ આવવા લાગ્યા ત્યારે તેમણે તેમના કાકાને પત્ર લખ્યો કે આ કાકા જ તેમના નજીકના હતા માતા-પિતા હતા નહી પત્રમાં તેમણે લખ્યુ કે મે આજીવન ભ્રહ્મશ્ચર્ય પાલન વ્રત લઈ આજીવન દેશ કાર્યની પ્રતિજ્ઞા લીધી છે.મારે લગ્ન કરવા નથી.બાદમાં દેશમાં અગ્રણી લોકોએ આંદોલન માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના કરી હતી.તેના તેઓ કાર્યકર્તા બન્યા જેમાં વિદર્ભ પ્રાંતના તેઓ પ્રમુખ કાર્યકર્તાની હરોળમાં તેઓ આવતા હતા.
18. અસહકાર આંદોલનમાં ડો.હેડગેવારજીની ધરપકડ
દેશમાં અસહકાર આંદોલન શરૂ થયું તેનો પ્રચાર કરવાનો હતો.જેમા ગામે ગામ પગપાળા જવાનું તેવા કઠોર પરિશ્રમ કરવાનો હતો.તેમાં હેડગેવારજીએ લોકજાગૃતિનો પ્રયાસ કર્યો જેમાં તેમના ભાષણોને કારણે તેમની ધરપકડ થઈ તેમના પર રાજદ્રોહનો આરોપ લાગ્યો હતો. અને નાગપુરની એક કોર્યમાં કેસ ચાલ્યો તેમાં પોતાનો દાવો તેમણે આપ્યો.એ વખતે ક્રાંતિકારીઓ સ્વરક્ષણાત્મક દાવો નહોતો કરતા જે સજા મળે તે સ્વિકારી લેતા હતા પણ ડો.હેડગેવારજીએ રક્ષાત્મક દાવો કર્યો.તેમણે કહ્યુ કે હું સજા તો સ્વિકારી લઉ પણ તે વખતે પત્રકારો પણ કોર્ટમાં આવતા હતા અને લોકો પણ આવતા હતા.અને એટલે એક વધુ ભાષણ આપી પ્રચાર કરવાનો માકો મળે તે માટે તેમણે જવાબ આપવા નિર્ય કર્યો અને બચાવ ભાષણ કર્યુ હતુ.
19. કોર્ટમાં જજ સમક્ષ નિડરતાથી ભાષણ
તેમણે ભાષણની શરૂઆત કરતા કહ્યુ કે અંગ્રેજોને કયા નિયમ હેઠળ ભારત પર રાજ્ય કરવાનો અધિકાર મળે છે ? અને આવો કાયદો જો હોય તો બતાવો, કારણ કે હુ તો આપના આ અધિકારને જ નથી માનતો તમારા કાયદાને પણ નથી માનતો અને તમારા ન્યાયને પણ નથી માનતો.મે મારા લોકોને કશુ જ ખોટુ નથી કહ્યુ અમારા સમાજના લોકોને મે જાગૃત કર્યા છે.સ્વતંત્રતા મનુષ્યનો અધિકાર છે.સ્વતંત્ર કેવી રીતે થવું,સ્વતંત્ર કેવી રીતે રહેવું અને સ્વતંત્રતા સાથે પોતાનું જીવન કેવી રીતે ચલાવવું તે બાબતે મે ભાષણો કર્યા છે.આને જો રાજદ્રોહ માનીને મને જેલમાં મોકલવાનો વારો અંગ્રેજ સરકાર પર આવી રહી છે તો સરકારે પણ સમજવું જોઈએ કે તેમને દેશ છોડી ચાલ્યા જવાનો સમય આવી ગયો છે.ત્યારે જજે તેમને એક વર્ષ સશ્રમ કારવાસની સજા આપતા કહ્યુ કે જે ભાષણો પર તેમના પર આરોપ લગાવાયો છે.તે તમામ ભાષણોથી પણ વધુ ભડકાઉ ભાષણ તેમનુ કાર્ટમા આપેલુ આ બચાવ ભાષણ છે.
20. કેવળ જેલમાં જવું એ જ માત્ર દેશ ભક્તિ નથી : ડો.હેડગેવારજી
એક વર્ષ જેલવાસ ભોગવ્યો જેલ જતા તેમની વિદાય સભા થઈ લોકો જેલ સુધી આવ્યા તે વચ્ચે એક નાનકડી સભા પણ થઈ તેમાં ભાષણ કરતા તેમણે જે કહ્યુ તે તેમના હ્રદયમાં જે વાત ચાલતી હતી તેની ઝલક તેમા હતી.તેમણે કહ્યુ કે કેવળ જેલમાં જવુ એ જ દેશ ભક્તિ છે તેવુ માનવાને કોઈ કારણ નથી જેલમાં જવુ પડે છે તો જેલ જઈશુ પણ ખરા પરંતુ બહાર રહીને લોકોમાં સ્વતંત્રતાનો અર્થ,સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે આ માટે લોક જાગૃતિ કરવી એ પણ દેશભક્તિ જ છે.અને આ જ ભાષણ જેલવાસ બાદ અભિનંદન સભામાં પણ તેમણે કર્યુ, જે સભાની અધ્યક્ષતા મોતીલાલ નેહરુ કરતા હતા.બહાર આવી કહ્યુ કે જેલવાસમાં તો મારૂ વજન વધી ગયું તેનાથી કોઈ શારિરિક નુકસાન નથી થયુ પરંતુ મને વિશ્વાસ છે કે અમે જ્યાલે જેલમાં હતા ત્યારે આ જાગૃતીનું કામ તો થતુ જ રહ્યુ હશે.અને ફરી તેમણે લોક જાગૃતિનું કાર્ય શરૂ કરી દીધુ.
21. ડો.હેડગેવારજીએ વિરોધી વિચારધારા વાળાઓને પણ મિત્રો બનાવ્યા
પોતોના સંબોધનમાં પૂજ્ય સરસંઘચાલક ડો.મોહન ભાગવતે કહ્યું કે હવે આપણે થોડા પાછળ જઈશુ કારણ કે આ બધા જ કાર્યોમાં ડો.હેડગેવારજીના કાર્યોનો સંબંધ સર્વત્ર આવતો હતો.કારણ કે તેમનો સ્વભાવ જ એવો હતો કે સામે વાળો વ્યક્તિ અથવા વિરોધી પણ જ્યાં સુધી પ્રામાણીક છે અને દેશ હિતનુ કાર્ય કરી રહ્યો છે ત્યા સુધી તનો વિરોધ તેઓ નહોતા કરતા તમામ વિચારધારાનના લોકો તેમના સારા મિત્રો હતા.એ સમયે નાગપુરમાં એક કમ્યુનિસ્ટ નેતા હતા બેરિસ્ટર રૂઈકા જેઓ હોશીયાર વકીલ હતા ધનવાન હતા અને નાગપુરના મજૂરોના નેતા તરીકે તેમની નામના હતી. કમ્યુનિસ્ટ વિચારધારાવાળા હતા.ડો.હેડગેવારજી તેમના સારા મિત્ર હતા.હેડગેવારજી ગરીબ હતા ત્યારે ડોક્ટર હેડગવારજી મજાકમાં તેમને કહેતા હતા કે અમે ગરીબ કેપિટાલિસ્ટ અને તમે ધનવાન લેબરર આવી તેમની નોકઝોક ચાલતી હતી.
22. ડો.હેડગેવારજીની મિત્રતાની માનસિકતા
એકવાર તેમણે બેરિસ્ટર રૂઈકરને તેમણે પૂછ્યુ કે કાલે કદાચ તમારા ઘરે આવીને એવા સમાચાર આપુ કે અંગ્રેજોનુ રાજ ચાલ્યુ ગયુ અને શિવાજી મહારાજનું રાજ આવી ગયુ છે.તો તમે શુ કરશો. ? ત્યારે રૂઈકર સાહેબે તેમને જવાબ આપ્યો કે એમાં ક્ષોભ કરવાની વાત નથી હું તો હાથી પર પેંડા વહેંચીશ.ત્યારે હેડગેવારજીએ કહ્યુ કે તમારે પણ ત્યાંજ જવુ છે જ્યા અમારે જવું છે.તો પછી આંતરિક ઝગડો કેમ? આપણે સાથે મળીને કેમ ન ચાલીએ નાની વાતોને લઈ આવો મોટો વિવાદ કેમ ઉભો કરવો છે.આ હેડગેવારજીની માનસિકતા હતી અના કારણે તમામ પ્રકારે તેમની ચર્ચા થતી રહેતી .
23. દેશમાં વારંવાર આંદલનો નિષ્ફળ જતા વિચાર-વિમર્શ શરૂ થયો
ઈ.સ.1857 મા દેશને સ્વતંત્ર કરવાનો એક મોટો પ્રયાસ ભારત વર્ષમા થયો હતો.જે નિષ્ફળ રહ્યો ત્યારબાદ આપણા દેશમાં પ્રમુખ લોકોના મનમાં ચિંચન શરુ થયુ કે આપણો દેશ આપણે સંખ્યા વધારે આપણી પાસે પણ સેના,રાજ,મહારાજ બધું જ છે. સામે અંગેરજો મુઠ્ઠીભર છે. બહારથી આવ્યા છે.અહી સર્વપ્રકારે તેમના માટે પ્રતિકૂળતા છે.છતા તેઓ જીતે અને આપણે હારીએ એમ કેવ થયું ? અને તેનું ચિંતન મંથન બાદ જે પ્રયાસ સમાજમાં શરૂ થયા તેની ચાર મહત્વની ધારાઓ જોવા મળી હતી.
24. દેશમાં ચાર વિચારધારાઓ શરૂ થઈ
1. એક વિચારધારા એવી હતી કે નિષ્ફળ ગયા તો શું થયુ આ સશસ્ત્ર માર્ગ પર જ ફરી આગળ વધવું અને એટલે જ ક્રાંતિકારીઓનો માર્ગ શરૂ થયો.1945માં સુભાષ બાબુના વિમાન દુર્ઘટનામાં દેહાંત થયા સુધી આ વિચાર ધારા ચાલી દેશ માટે બધુ જ ન્યોછાવર કરવાવાળા મહાપુરુષો આ ક્રાંતિએ આપણને આપ્યા આજે પણ આપણે તેમનું સ્વરણ કરી પ્રેરણા લઈએ છીએ.
2. બીજી વિચારધારા એ રહી કે નહી આપણ દેશના લોકોમા રાજનિતિતક સમજ એછી છે સત્તા કોની છે ? એનું શું મહત્વ છે ? તે બહુ ઓછા લોકો જાણે છે.આપણા દેશના લોકોની રાજનિતિક જાગૃતિ કરવી આવશ્યક છે.અને એટલે કોંગ્રેસના રૂપમાં સમગ્ર દેશમાં આંદોલન શરૂ થયુ તેમાં પણ અનેક મહાપુરષોએ પ્રેરણાદાયી કાર્ય કર્યુ અને સ્વતંત્રતા સંગ્રામ માટે લોકોને એક રસ્તે લાવવાનું કાર્ય આ ધારાએ કર્યુ હતુ.
3. ત્રીજી એક વિચારધારા કહેતી હતી કે આપણા સમાજને સુધારવાની આવશ્યકતા છે.સમાજમાં સ્વાર્થ,ભેદ ,વ્યક્તિ ચારિત્ર્યસ્ખલન,ભાષા-પ્રાંત-જાતિના ભેદભાવ,શિક્ષણનો અભાવ,દરિદ્રતા આ બધુ ઠીક કર્યા વિના અંગ્રેજો સામે લડવુ મુશ્કેલ છે.એટલા માટે સમાજ સુધાર તેમા પણ એવા મહાનુભાવો થઈ ગયા જે આજે પણ પ્રત : સ્મરણીય છે.પણ થયુ એવુ કે ધારા તો ચાલી આજે પણ ચાલે છે.પણ તે પુરતુ ન રહ્યુ સાગરમાં બુંદ જેવુ જ રહી ગયુ.
4. ચોથી વિચારધારા એ હતી જે કહેતી હતી કે આપણા મુલ્ય પર પરત ચાલો સ્વામિ દયાનંદ સરસ્વતિજી,રામકૃષ્ણ પરમ હંસના શિષ્ય સ્વામિ વિવેકાનંદજી જેવા મહાપુરુષોએ આપણા મૂળ ભાવમાં પરત આવવા સાથે સેવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રકારે ઘણી વિચારધારઓ તો ચાલી પણ આપણા દેશમાં સમાજમાં ગુણવત્તાપૂર્ણ ચિત્ર ઉભુ થવુ જોઈએ તે થયુ નહી જે સ્વતંત્રતા પહેલા પણ ન થયુ અજે પણ તેની આવશ્યકતાનો અનુભવ આપણે કરીએ છીએ.
25. સૌ વિચારધારાની ફળશ્રુતિ
આ બધુ આપણે એટલા માટે જાણ્યુ કે ડો.કેશવ હેડગેવારજીનો એક જ જીવન મંત્ર હતો દેશને જાગૃત કરવો અને તેની જ ચિંતાના તેઓ હતા ત્યારે સૌ સાથે તેમની ચર્ચઓ થતી સૌના વિચારો અને તેના વિમર્શ તેમને મળતા હતા તેઓ સુભાષ બાબુ,વીર સાવકરકરજીને મળ્યા હતા.આ બધા જ મહાનુભાવોને મળી ચર્ચા-વિચાર-વિમર્ષથી તેમના ધ્યાનમાં આવ્યુ કે સૌને લાગે છે કે જે ઉપક્રમ આપણે લીધો છે જે ક્યારેક ને ક્યારેક સફળ થશે રસ્તો ખૂબ લાંબો છે પણ જો એક જ રસ્તો છે તો તે રસ્તો ટૂંકો ગણાય અને તેના પણ ચાલવાનો નિર્ણય થયો.
26. સ્વસ્થ સમાજ માટે જાગૃતિ
વારંવાર આપણા સમાજને જાગૃત કરવાની આવશ્યકતા ન પડે તે આપો આપ થતુ રહે કારણ કે સ્વસ્થ સમાજમાં તે આપો આપ થાય છે એટલે જ જો સમાજને સંગઠીત કરી સ્વસ્થ સમાજ નિર્માણ નહી થાયો તો આ પ્રકારના કાર્ય અપૂર્ણ રહેશે અથવા તો અસફળ રહેશે.સ્વતંત્રતા માટે આપણો સમાજ યોગ્ય નથી અને તેને યોગ્ય બનાવવાનું કાર્ય કરવ પડશે તે તેમના ધ્યાને આવ્યુ અને એટલે તેમણે લગભગ 7 થી 8 વર્ષ સુધી આ કાર્ય કઈ રીતે થઈ શકે તે અંગે પ્રયોગ કર્યા કે કેવી રીતે સમાગ્ર સમાજનું પ્રશિક્ષણ કરવું તેના કાર્યક્રમ શુ હોઈ શકે ? અનેક સંસ્થાઓના કાર્યો જોયા તેમાથી કંઈક લઈને પ્રયોગ કર્યા તો કેટલાક સ્વ-વિચારથી પ્રયોગ કર્યા અને કેટલાક પ્રશિક્ષણ મંડલ ચલાવ્યા હતા.
27. રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળનો પ્રારંભ કર્યો
આ પ્રકારના અનેક પ્રયોગો કરીને છેવટે તેમણે ર્ધામાં રાષ્ટ્રીય સ્વયંસેવક મંડળ પણ ચલાવ્યુ સંઘની સ્થાપનાના ત્રણ-ચાર વર્ષ પહેલા જ આ બે શબ્દોનો ઉપયોગ તેમણે કર્યો હતો.અને આ પ્રકારના પ્રયોગો કરીને સ્માજને ઉભો કરવાની એક પદ્ધતિ તેમણે ઉત્પન્ન કરી અને 27 સપ્ટેમ્બર 1925 ને શુક્રવાર વિજયા દસમીને દિવસે નાગપુરમાં તેમણે જોહારાત કરી કે આ કાર્ય આજથી શરૂ થાય છે.જેટલા સહયોગી મળ્યા તેટલા મિત્રો સાથે કાર્ય શરૂ કર્યું.અને એટલુ જ કહ્યુ કે આ કાર્ય હજુ શરૂ જ થયુ છે.
LINK –
28. સંગઠનનું નામ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રખાયું
આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારપછીના છ મહિના સુધીમાં આ સંગઠનને કોઈ વિધિવત્ નામ આપવામાં આવ્યું ન હતું,પરંતુ 26 એપ્રિલ, 1926ના રોજ ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ એવું નામાભિધાન વિધિસર રીતે કરવામાં આવ્યું.તો 1927માં સર્વપ્રથમ વાર તેના અધિકારીઓની કાર્યશિબિર યોજવામાં આવી હતી.1929માં તેની શ્રેણીસ્તૂપીય રચના કરવામાં આવી અને તુરત જ તેના સંસ્થાપક ડૉ. હેડગેવારને સરસંઘચાલકનું પદ,બાળાજી હુદ્દારને સરકાર્યવાહ અને માર્તંડરાવ જોગને સરસેનાપતિના હોદ્દા પર નિયુક્ત કરવામાં આવ્યા.1934માં તે વખતના નાગપુર નગરની બહાર જંગલથી ઘેરાયેલા રેશમબાગ નામના વિસ્તારમાં ખરીદવામાં આવેલી જમીન પર તેનું મુખ્ય કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હતુ.
( નોંધ – ક્રમશ: હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેના વ્યક્તિ નિર્માણ થકી સ્વસ્થ સ્માજના કાર્યો વિશે
આગણ જાણીશુ નમસ્કાર…..)
LINK –
( TC – 1:20:10 સુધીનું સંબોધન )