Friday, July 11, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home રાજ્ય

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

Kajal Barad by Kajal Barad
Jul 10, 2025, 02:59 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Notes :

  • ગુજરાત ‘ક્રૂઝ ભારત મિશન’નું નેતૃત્વ કરનારું પહેલું રાજ્ય
  • પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા
  • ગુજરાતમાં બનશે સમર્પિત ક્રૂઝ ટર્મિનલ, રાષ્ટ્રીય મિશનમાં આપશે યોગદાન

 

‘ક્રૂઝ ભારત મિશન’

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે.

ગુજરાત ‘ક્રૂઝ ભારત મિશન’નું નેતૃત્વ કરનારું પહેલું રાજ્ય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે (GMB) 6 મે એ એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ હિતધારકોએ હાજરી આપી હતી.GMB દ્વારા આયોજિત આ વર્કશોપમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઓફિસર (HQ) કેપ્ટન બંશીવા લાડવા, GMB ના વાઇસ ચેરમેન અને સીઈઓ રાજકુમાર બેનીવાલ (IAS)એ મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે રાજ્યની વધી રહેલી દરિયાઈ ક્ષમતાઓ તેમજ ઊભરતા ક્રૂઝ ટુરિઝમ ક્ષેત્રની આર્થિક તકો પર ભાર મૂક્યો હતો.

 ભારતમાં ક્રૂઝ ક્ષેત્રના વિકાસનો પાયો નાખવા માટેની નીતિ પર થઈ ચર્ચા

વર્કશોપના પ્રથમ સત્રમાં મેરીટાઇમ અને ટુરિઝમ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં “નીતિ અને માળખાગત સુવિધા- ભારતમાં ક્રૂઝ ક્ષેત્રના વિકાસ માટે પાયો નાખવો” એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના સલાહકાર રાજીવ જલોટાએ ક્રૂઝ ભારત મિશન હેઠળ વ્યૂહાત્મક લક્ષ્યોની રૂપરેખા આપી હતી. મુંબઈ પોર્ટ ઑથોરિટીના અધ્યક્ષ શ્રી સુશીલ કુમાર સિંહે બંદરોની તૈયારી અને સ્પષ્ટ બર્થિંગ પોલિસીની જરૂરિયાત પર ચર્ચા કરી હતી. FRRO, કોચીનના કૃષ્ણરાજ આર. એ ઇમિગ્રેશન અને દરિયા કિનારાની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યારે ગોવા ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલના CEO ગૌતમ ડેએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.

ગુજરાતનો રોડમૅપ રજૂ કરતાં રાજકુમાર બેનીવાલે રોકાણને અનુરૂપ પોલિસીઓ બનાવીને વિશ્વ કક્ષાના ક્રૂઝ ટર્મિનલ માટે રાજ્યની યોજના વિશે માહિતી આપી હતી. ગુજરાત ટુરિઝમના મૅનેજિંગ ડિરેક્ટર સાઇદિંગપુઈ છાકછુઆક (IAS)એ મુસાફરો માટે ક્રૂઝ-રેડી સ્થળો અને ઓનશોર પ્રવાસન વિકસાવવા માટેની વ્યૂહરચના રજૂ કરી હતી. કૃષ્ણરાજ આર. (IPS)એ કાર્યક્ષમ ઇમિગ્રેશન પ્રક્રિયાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને પ્રવાસીઓના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે ડિજિટલ ટેક્નોલૉજીના ઉપયોગની ભલામણ કરી હતી.

ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા અને વિઝન

બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ગુજરાતને એક અગ્રણી ક્રૂઝ હબ તરીકે સ્થાપિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનો વ્યાપક અભિગમ, તેની માળખાગત સુવિધાઓ, નીતિ અને પ્રવાસન વિકાસ અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે.

ત્યારબાદ વર્કશોપના પ્રશ્નોત્તરી સત્ર દરમ્યાન સહભાગીઓએ રાજ્ય માટે એક મજબૂત ક્રૂઝ નીતિ બનાવવા સંદર્ભે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. તો પૅનલ સત્રમાં પૅનલિસ્ટોએ હાલના પડકારોને સંબોધીને ભવિષ્યમાં ક્રૂઝ ક્ષેત્રે રહેલી સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર સહભાગીઓ અને ઉદ્યોગના દિગ્ગજો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું.

કોસ્ટલ ટુરિઝમને વેગ આપવા માટે પ્રસ્તાવિત ક્રૂઝ સર્કિટ

ક્રૂઝ ભારત મિશન Cruise India Mission ના ભાગ રૂપે, ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રૂઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે.

પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા

પડાલા ટાપુ- કચ્છનું રણ
પોરબંદર-વેરાવળ-દીવ
દ્વારકા-ઓખા-જામનગર

I) પડાલા ટાપુ – કચ્છનું રણ : પડાલા ટાપુના શાંત એમ્બિયન્સની સાથે, આકર્ષક મીઠાનું કેન્દ્ર અને વાઇબ્રેન્ટ રણોઉત્સવ

II) પોરબંદર – વેરાવળ – દીવ : ગાંધીબાપુનું જન્મસ્થળ, સોમનાથ મંદિર ,પ્રાચીન દરિયાકિનારો

III ) દ્વારકા-ઓખા -જામનગર : ધાર્મિક સ્થળો, દરિયાકાંઠાની સુંદરતા અને સમૃદ્ધ જૈવવિવિધતા, આધ્યાત્મિક અને પ્રકૃતિ-કેન્દ્રિત મુસાફરો માટે આદર્શ છે.

દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી ક્રૂઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે.

ગુજરાતમાં બનશે સમર્પિત ક્રૂઝ ટર્મિનલ, રાષ્ટ્રીય મિશનમાં આપશે યોગદાન

30 સપ્ટેમ્બર, 2024 ના રોજ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ દ્વારા ક્રૂઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો ઉદેશ આગામી દાયકામાં ભારતને વિશ્વ સ્તરનું ક્રૂઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે અને 2029 સુધીમાં દરિયાઈ ક્રૂઝ પ્રવાસનને દસ ગણું વધારવાનો છે. દેશમાં મુંબઈ, કોચીન, ચેન્નઈ, અને મોર્મુગાઓ જેવા મુખ્ય બંદરોએ ક્રૂઝ ટર્મિનલ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે ત્યારે ગુજરાત પણ ભવિષ્યમાં એક સમર્પિત ક્રૂઝ ટર્મિનલ બનાવીને રાષ્ટ્રીય મિશનમાં નોંધપાત્ર ફાળો આપશે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના વર્કશોપનું આયોજન ક્યારે થયું હતું ?

ગુજરાત મેરીટાઇમ બોર્ડએ 6 મેના રોજ ક્રુઝ ઇન્ડિયા મિશન માટે ક્રુઝ શિપિંગ નીતિની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી 6 મેના રોજ વર્કશોપનું આયોજન કર્યું હતું.આ કાર્યક્રમમાં દરિયાઇ નિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને પર્યટન નેતાઓને એક સાથે ગુજરાતના ક્રુઝ ટૂરિઝમ ફ્યુચર માટે વ્યૂહાત્મક અભ્યાસક્રમ ચાર્ટ કરવા લાવ્યા.

જીએમબીના વાઇસ ચેરમેન અને સીઈઓ, આઈએએસ, રાજકુમાર બેનીવાલ, ક્રુઝ ઓપરેટરો અને પ્રવાસીઓને આકર્ષવા માટે રચાયેલ રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિઓ દ્વારા સપોર્ટેડ, વર્લ્ડ ક્લાસ ક્રુઝ ટર્મિનલ્સ માટેની યોજનાઓ દર્શાવતા ગુજરાતનો રોડમેપ રજૂ કર્યો , ગુજરાત ટૂરિઝમના મેનેજિંગ ડિરેક્ટર આઇ.એ.એસ કહ્યું, કે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને કુદરતી વારસો પ્રદર્શિત કરનારા “ક્રુઝ-તૈયાર” સ્થળો અને નિમજ્જન શોર પર્યટનના વિકાસ પર ભાર મૂક્યો.

આર્થિક અને પર્યટન અસર

ગુજરાતના ક્રુઝ ભારત મિશનથી તેના પર્યટન ક્ષેત્રમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ બંને દોરવામાં આવશે.દ્વારકા મંદિર અને કચ્છના રણ જેવા ધાર્મિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નોની સાથે ઓછા જાણીતા દરિયાકાંઠાના રત્નને પ્રકાશિત કરીને, ગુજરાત મુસાફરોને વૈવિધ્યસભર અને અધિકૃત દરિયાઇ પર્યટનનો અનુભવ આપે છે.

ભારતના ક્રુઝ ટૂરિઝમમાં ગુજરાતની ભૂમિકા

એશિયામાં અગ્રણી ક્રુઝ ડેસ્ટિનેશન તરીકે ઉભરેલા ભારતના વ્યાપક દબાણના ભાગ રૂપે, ગુજરાતની સક્રિય નીતિઓ અને માળખાગત વિકાસ અન્ય દરિયાકાંઠાના રાજ્યો માટે એક મોડેલ તરીકે સેવા આપે છે. ઉદ્યોગના હોદ્દેદારો સાથે તેના સહયોગ અને આધુનિક બંદર સુવિધાઓમાં રોકાણ વૈશ્વિક મંચ પર દેશની ક્રુઝ ટૂરિઝમ પ્રોફાઇલને વધારશે.

 

 

Tags: CruiseIndiaCruiseTourismEconomicOpportunitiesGujaratGujaratCruisePolicyMaritimeDevelopmentSLIDERTOP NEWSVisionaryLeadership
ShareTweetSendShare

Related News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?
આંતરરાષ્ટ્રીય

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ
કલા અને સંસ્કૃતિ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન
રાજ્ય

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે
જનરલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

ABVP સ્થાપના દિવસ : સંગઠને વિદ્યાર્થીઓ-રાષ્ટ્રીય હિત માટે ઉદાહરણ પૂરું પાડ્યું,જાણો 77 વર્ષમાં પરિષદમાં કેટલો બદલાવ આવ્યો ?
જનરલ

ABVP સ્થાપના દિવસ : સંગઠને વિદ્યાર્થીઓ-રાષ્ટ્રીય હિત માટે ઉદાહરણ પૂરું પાડ્યું,જાણો 77 વર્ષમાં પરિષદમાં કેટલો બદલાવ આવ્યો ?

Latest News

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

PM મોદીની વિદેશયાત્રા અને ભારતનો દ્રષ્ટિકોણ: બ્રિક્સ સમિટ,સંસદમાં સંબોધન,સહિત શું રહી ફળશ્રુતિ ?

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત ક્રુઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બન્યું

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન અને શ્રદ્ધાનો એક મહાન તહેવાર, જાણો હિન્દુઓ અને બૌદ્ધ બંને સાથે કેવી રીતે ખાસ સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામિબિયાની સંસદમાં તાળીઓના ગળગળાટ વચ્ચે પોતાનું સંબોધન કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં પણ હાજરી આપી હતી

PM મોદીએ ઘાના,ત્રિનિદાદ-ટોબેગો,આર્જેન્ટિના,બ્રાઝિલ,નામિબિયા સહિતના દેશોની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશ પ્રવાસ 2 જુલાઈથી 9 જુલાઈ સુધીનો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દેશોની મુલાકાત પૂર્ણ કરી સ્વદેશ પરત ફર્યા

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

સહકારી ક્ષેત્રને મજબૂત કરવા ગુજરાતમાં દેશની પ્રથમ સહકારી યુનિવર્સિટીનો પ્રારંભ,1 વર્ષમાં 6 નવા કોર્સ શરૂ કરવાનું આયોજન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષે ગામે ગામ અને ઘરે ઘર પહોંચી સામાજીક એકીકરણ કરશે

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.