Saturday, May 24, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

વિકસિત ભારત-2047ના નિર્માણમાં ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝ જેવા નવતર પ્રયોગો મદદરૂપ થશે : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

param by param
Dec 25, 2023, 02:38 am GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3Q 2.0” નો વિધિવત રીતે શુભારંભ કરાવ્યો હતો.રાજકોટના સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આપણા વિદ્યાર્થીઓ-યુવાનો દેશ-દુનિયાના પ્રવાહોથી સતત અપડેટ રહે,તેમની જિજ્ઞાસા વૃત્તિ કેળવાય અને યુવા શક્તિ જ્ઞાનસભરમાહિતી સભર બને તેવી વડાપ્રધાનની નેમને પાર પાડવા ગુજરાત સરકારે આ ક્વિઝરૂપી અભિનવ પહેલ વર્ષ-2022થી કરી છે.

મુખ્યમંત્રીએ શિક્ષણની મહત્તા સ્પષ્ટ કરતા ઉમેર્યું હતું કે શિક્ષણ માનવીને કંકરમાંથી શંકર બનાવે છે.જીવનમાં નવું જાણવાની,નવું શીખવાની અને નવું કરવાની રૂચિ અને વૃત્તિ જ મનુષ્યની પ્રગતિ માટેના સબળ પાસાઓ છે,એમ જણાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દરેક ક્ષેત્રે નવીનપણે વિચારવાની,નવુ કરવાની પ્રેરણા આપી છે.’ગીતા’માં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનના પ્રશ્નોના આપેલા જવાબ છે,તો ઉપનિષદોમાં પણ ઋષિમુનિઓ અને શિષ્યો વચ્ચેના સવાલ-જવાબ છેની વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે સવાલ-જવાબની પરંપરા ભારતની પ્રાચીન પરંપરા રહી છે અને ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આ સમૃદ્ધ પરંપરાને આધુનિક ઢબે આગળ લઈ જવાનો એક પ્રયાસ છે.

દરેક પ્રશ્નના જવાબ ‘ગૂગલ ગુરુ’પાસેથી મેળવતી આજની પેઢીને આ ક્વિઝના માધ્યમથી યાદશક્તિના આધારે જવાબો આપવાની અને મનન ચિંતન કરવાની ટેવ કેળવાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે આ ક્વિઝ માહિતીસભર અને ફ્યુચર રેડી ભાવિ પેઢી તૈયાર કરવાનું દૂરંદેશીભર્યું પગલું છે.
મુખ્યમંત્રીએ ગત વર્ષની ક્વિઝની આંકડાકીય માહિતી આપતાં કહયું હતું કે વર્ષ 2022 માં યોજાયેલી જ્ઞાનગુરુ ક્વિઝમાં રાજ્યભરના 23 લાખથી વધુ નાગરિક સામેલ થયા હતા, જેમાંથી 1 લાખ 30 હજારથી વધુ વિજેતાઓને રાજ્ય સરકાર દ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યક્ત કરી હતી કે વર્ષ 2023 ની આ જ્ઞાનગુરુ ક્વિઝ પાછલા વર્ષના તમામ રેકોર્ડ તોડશે.
શાળાકીય જીવન દરમિયાન ગાંધીજીએ સાચો સ્પેલિંગ લખવા નકલ કરવા કરેલા ઇન્કારના પ્રસંગ અને વડાપ્રધાને “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પરીક્ષામાં નકલથી નહી પરંતુ મહેનતથી પાસ થવાની,આગળ વધવાની પ્રેરણા આપી છેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જીવનની પરીક્ષામાં પાસ થવા માટે પ્રમાણિકતાનો ગુણ અને એ માટેનું મક્કમ મનોબળ કેળવવા અગત્યના છે.

આ ક્વિઝનું આયોજન વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ અને આત્મશક્તિ પુરવાર કરવાનો મોકો છે.
વડાપ્રધાનના નેતૃત્વમાં શિક્ષણ ક્ષેત્રનો વિકાસ આભને આંબ્યો છે.પ્રિ-વાયબ્રન્ટ સમિટ 2024માં એડવાન્સ એજ્યુકેશન સેક્ટરમાં સ્ટ્રેટેજીક પાર્ટનરશીપના એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે તેમ જણાવતા ઉમેર્યું હતું કે શિક્ષણ સહિતના દરેક ક્ષેત્રમાં નવા અને હકારાત્મક બદલાવ કરવામાં આવી રહ્યા છે.વડાપ્રધાનની વિકસિત ભારત-2047ના નિર્માણની હાકલ સફળ બનાવવામાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ જેવા નવતર પ્રયોગો મદદરૂપ થશે.વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો રોડ મેપ આજથી યુવાપેઢી કંડારશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો.

આ તકે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,વિકસિત ભારતના નિર્માણ માટે આજના વિદ્યાર્થીઓ શિક્ષિત અને દીક્ષિત હોય તે આવશ્યક છે.નાગરિકો માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓ વિષેની માહિતી નાગરિકોને હોવી જરૂરી છે.આવનારા સમયમાં દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સમગ્ર દુનિયાની નજર ભારતના યુવાનો ઉપર છે. 2047નાં વિકસિત ભારતનાં નિર્માણની જવાબદારી જેનાં શિરે છે તેવા યુવાનો વિજ્ઞાન,ઈતિહાસ, વિકાસ,સમાજ,રાજકારણ સહિતનાં વિવિધ ક્ષેત્રોની વિવિધ બાબતો અને વાસ્તવિક જીવનમાં ઉપયોગી નીવડે તેવા જ્ઞાનથી પૂર્ણપણે અપડેટ હોય તે અતિ આવશ્યક છે,જેને ધ્યાનમાં રાખીને આ ક્વિઝની રૂપરેખા ઘડવામાં આવી છે.

મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે,વિકસિત ભારતના સાચા એમ્બેસેડર યુવા વિદ્યાર્થીઓ છે. મંત્રીએ જ્ઞાનગુરૂ ક્વિઝમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને “નમો એપ” પર વિકસિત ભારત એમ્બેસેડર ક્વિઝમાં પણ સામેલ થવા અનુરોધ કર્યો હતો તેમજ ક્વિઝમાં સમાવિષ્ટ ઇતિહાસ, વિજ્ઞાન અને સામાન્ય જ્ઞાનને લગતા ઉદાહરણરૂપ પ્રશ્નો રજૂ કરી વિજેતાઓને આપવામાં આવનાર ઇનામોની રૂપરેખા આપી હતી.

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરે સ્વાગતપ્રવચન કરતા જણાવ્યું હતું કે,મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ઝડપી વિકાસ કરી રહ્યુ છે.રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ લોકો સુધી પહોંચે અને ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ જ્ઞાનસમૃધ્ધ બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત જ્ઞાનગુરૂ ક્વિઝ G3Q-2.0 નું આયોજન કરવામાં આવ્યું છે.

ઉદઘાટન કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. મહાનુભાવોનું સ્વાગત પુસ્તક અનેમોમોન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રીએ રિમોટ દ્વારા રાજ્યવ્યાપી ક્વિઝનો વિધિવતરીતે પ્રારંભ કરાવ્યો હતો.શિક્ષણમંત્રીએ ઉપસ્થિત લગભગ 2737 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલ ક્વિઝના પ્રથમ ત્રણ વિજેતાઓની જાહેરાત કરી હતી,જેને મુખ્યમંત્રીના વરદહસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

ShareTweetSendShare

Related News

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ
આંતરરાષ્ટ્રીય

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?
આંતરરાષ્ટ્રીય

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી
આંતરરાષ્ટ્રીય

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર
ક્રાઈમ

પ્રેમ અને વિશ્વાસઘાત : લવ જેહાદમાં હવે મુસ્લિમ મહિલાઓ પણ સક્રિય,હિન્દુપુરુષ સાથે લગ્ન કરી ધર્મપરિવર્ત માટે દબાણ કરવાનું ષડયંત્ર

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા
આંતરરાષ્ટ્રીય

ભારતીય મુસ્લિમ-બિન મુસ્લિમ નાગરિકોએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સિ ISI માટે જાસૂસી કરી,જાણો ગુજરાતના મહત્વના કિસ્સા

Latest News

દિલ્હી : બોર્ડર સિક્યુરિટી ફોર્સના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન

“ઓપરેશન સિંદૂર” વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિથી થયુ : અમિત શાહ

ગુપ્તચર એજન્સીઓની સચોટ માહિતી-સેનાની ફાયરપાવરનું અદ્ભુત પ્રદર્શન એકસાથે આવ્યું : શાહ

આપણો દેશ ઘણા દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદનો સામનો કરી રહ્યો છે : શાહ

વડાપ્રધાન મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પહેલીવાર આતંકવાદીઓને યોગ્ય જવાબ આપ્યો : શાહ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

સેનાના શિસ્ત,ઉત્સાહ અને બહાદૂરી પૂર્ણ અટારી-વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહ ફરી શરૂ

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

આતંકવાદી ગઢ પતનને આરે ! દેવું,દુષ્કાળ અને આંતરિક વિભાજન વચ્ચે શું પાકિસ્તાન તેના પરમાણુ હથિયારો ગુમાવી રહ્યું છે?

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

દેશ અને દુનિયાના દુશ્મનોએ જોયું કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે : PM મોદી

રાજસ્થાનના બિકાનેરથી PM નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનન-આતંકીઓને આપ્યો સણસણતો જવાબ

22મી ના હુમલાના જવાબમાં અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કર્યો : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.