રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગ્યા બાદ હવે ગુજરાતમાં તંત્ર એલર્ટ થઈ રહ્યું છે. સેફ્ટીને લઈને હવે તકેદારી રાખવાના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યા સુરતની VNSGU દ્વારા તેની અંડરમાં આવતી તમામ કોલેજોને એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં કોલેજો એ ફાયર સેફ્ટી અને NOC રાખવું ફરજિયાત છે.
હાઈલાઈટ્સ
ફાયર સેફ્ટી અને NOC ન હોય તેવી કોલેજોની ખેર નહીં
ફાયર સેફ્ટી અને NOC વગરની કોલેજો સામે VNSGUની લાલ આંખ
ફાયર સેફ્ટી અને NOCને લઈને VNSGUએ પરિપત્ર જાહેર કર્યો
VNSGU ના અંડરમાં આવતી તમામ કોલેજોને ફાયર સેફ્ટી અને NOC રાખવું ફરજિયાત
રાજકોટ ગેમ ઝોનમાં ભીષણ આગ લાગ્યા બાદ 27 લોકોના જીવ જતા રાજ્યમાં તંત્રની ઊંઘ ઉડી છે. ફાયર NOC ન હોય એવા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કરવામાં આવી રહ્યા છે. સુરત જિલ્લાઓમાં પણ વહીવટી તંત્રએ ચેકીંગ હાથ ધર્યું છે અને ફાયર સેફ્ટી અને ફાયર NOC ન હોય એવા ઘણી એકાઇઓ સીલ કરી છે. સુરતમાં NOC ન હોય એવા 7 ગેમ ઝોનના સંચાલકો અને મેનેજરો મળીને કુલ 22 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ફાયર સેફ્ટી અને NOCને લઈને VNSGUએ તેની સાથે સંકળાયેલી કૉલેજોને ફાયર સેફ્ટી અને NOC હોવી ફરજીયાત છે. VNSGUએ તમામ સંલગ્ન કૉલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે VNSGU સંલગ્ન કૉલેજો પાસે ફાયર સેફ્ટી અને NOC ફરજિયાત હોવી જરૂરી છે. જો તપાસમાં ફાયર સેફ્ટી અને NOC ને લઈને કોઈ પણ ગડબળી દેખાશે તો યુનિવર્સિટીમાંથી કૉલેજોનું જોડાણ રદ્દ કરવામાં આવશે.
VNSGUના વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે VNSGUએ સંલગ્ન 300 કૉલેજોને ફાયર સેફ્ટી અને NOC ની માહિતી આપવા પરિપત્ર જાહેર કર્યો છે. વાઈસ ચાન્સેલરે વધુમાં જણાવ્યું કે, એ માહિતીને આધારે જે કૉલેજો પાસે ફાયર સેફ્ટીની NOC નહીં હોય, તે કૉલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ 2024-25ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે. આવેલી માહિતીના આધારે અમારી ટેક્નિકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તેના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નિર્ણય લેવાશે.