હાઈલાઈટ્સ :
- 25 જુલાઈને ગુરૂવારે મુખ્યમંત્રી સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજીશે
- ગાંધીનગર CM કાર્યાલય ખાતેથી યોજાશે સ્વાગત ફરિયાદ કાર્યક્રમ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003 થી શરૂ થયેલો કાર્યક્રમ
- મુખ્યમંત્રી નાગરિકોની રજૂઆતો-ફરિયાદોનો આનલાઈન નિવારણ કરશે
- રજૂઆતકર્તાઓ સવારે ૮ વાગ્યાથી રજૂઆતો જનસંપર્ક એકમમાં આપી શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવારને 25 જુલાઈના રોજ બપોરે યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003 થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.
આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જુલાઈ-નો ર2024 નો જ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 25 મી જુલાઈએ યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 25 મી જુલાઈના રોજ બપોરે 03 : 30 વાગ્યે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો,અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર 25 મી જુલાઈના રોજ સવારે 8 થી 11 વાગ્યા દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ,સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે 03 : 30 કલાકે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે. તેમ સરકારની એક યાદીમા જણાવાયુ છે.
SORCE :