હેડલાઈન :
- 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી શુભેચ્છા
- PM મોદીએ X પર પોસ્ટ લખી આપે શુભેચ્છા
- 23 ફેબ્રુઆરીએ યોજાનાર મન કી બાતનો ઉલ્લેખ
- મન કી બાત કાર્યક્રમ માટે સૌને પાઠવ્યુ આમંત્રણ
- રેડિયો ઘણા લોકો માટે જીવનરેખા રહ્યો : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.તેમણે આ માટે સોશિયલ મીડિયા હેલ્ડલ X પર પોસ્ટ લખી હતી.
Happy World Radio Day!
Radio has been a timeless lifeline for several people—informing, inspiring and connecting people. From news and culture to music and storytelling, it is a powerful medium that celebrates creativity.
I compliment all those associated with the world of…
— Narendra Modi (@narendramodi) February 13, 2025
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી.તેમણે આ મહિનાની 23મી તારીખે યોજાનાર ‘મન કી બાત’ કાર્યક્રમ માટે દરેકને પોતાના વિચારો અને સૂચનો શેર કરવા આમંત્રણ આપ્યું.
“વિશ્વ રેડિયો દિવસની શુભકામનાઓ,” પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટમાં લખ્યું. રેડિયો ઘણા લોકો માટે જીવનરેખા રહ્યો છે.સમાચાર અને સંસ્કૃતિથી લઈને સંગીત અને વાર્તા કહેવા સુધી,તે એક શક્તિશાળી માધ્યમ છે જે સર્જનાત્મકતાની ઉજવણી કરે છે.
દેશવાસીઓને તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત માટે પોતાના વિચારો શેર કરવા વિનંતી કરતા તેમણે કહ્યું, “હું રેડિયો જગત સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન આપું છું. હું આપ સૌને આ મહિનાની 23મી તારીખે યોજાનાર મન કી બાત કાર્યક્રમ માટે તમારા વિચારો અને સૂચનો શેર કરવા માટે પણ આમંત્રણ આપું છું.
સૌજન્ય : હિન્દુસ્તાન સમાચાર