હેડલાઈન :
- તહવ્વુર રાણાને ભારત લવાશે જ યુએસ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી
- મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો
- તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો
- તહવ્વુરે કહ્યું હતું કે મને ભારત પ્રત્યાર્પણ કરાશે તો ત્રાસ આપવામાં આવશે
- મુંબઈ હુમલાના આરોપી તહવ્વુરે ભારત પર ઘણા આરોપો લગાવ્યા હતા
- US રાષ્ટ્રપતિ ટ્રમ્પે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની ભારતને આપી હતી ખાતરી
26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કોર્ટે તેના ભારત પ્રત્યાર્પણને રોકવાની માંગને ફગાવી દીધી છે. તહવ્વુર રાણાએ ભારત પ્રત્યાર્પણ ટાળવા માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. તેણે યુએસ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને તેના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. તહવ્વુરે કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, તો મને ત્રાસ આપવામાં આવશે અને હું ત્યાં લાંબા સમય સુધી જીવતો રહી શકીશ નહીં.
– તહવ્વુરે ભારત પર ઘણા આરોપો લગાવ્યા
મુંબઈ હુમલાના આરોપી રાણાએ પોતાની અરજીમાં ભારત વિરુદ્ધ અનેક આરોપો પણ લગાવ્યા હતા. તેણે કહ્યું કે હ્યુમન રાઇટ્સ વોચ 2023 વર્લ્ડ રિપોર્ટ જણાવે છે કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે અને વધુને વધુ સરમુખત્યાર બની રહી છે. તેથી, જો મને ભારતને સોંપવામાં આવશે, તો ત્યાં મને ત્રાસ આપવામાં આવશે કારણ કે હું પાકિસ્તાની મૂળનો મુસ્લિમ છું. તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે. તે હાલમાં લોસ એન્જલસની જેલમાં બંધ છે. એવું માનવામાં આવે છે કે તે લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ડેવિડ હેડલી સાથે જોડાયેલો છે, જે 2008ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંનો એક હતો. આ હુમલામાં ૧૭૫ લોકો માર્યા ગયા હતા.
– NIA એ 2011માં ચાર્જશીટ દાખલ કરી હતી
2011માં, NIA એ તહવ્વુર રાણા સહિત નવ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં તેમના પર 26/11ના મુંબઈ હુમલાનું આયોજન અને અમલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તહવ્વુર રાણા અંગે, મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું કે, ‘અમે કસાબને જોયો. એમાં કઇ મોટી વાત છે? અમે તેને ચોક્કસ મહારાષ્ટ્રમાં રાખીશું.