Monday, June 16, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home આંતરરાષ્ટ્રીય

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય,વિચાર,વિસ્તાર અને વિકાસ પર વિસ્તૃત અહેવાલ

આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપનાના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે.ત્યારે સંઘ વટવૃક્ષના વિચાર અને વિસ્તાર અંગે પ્રસ્તુત છે આ વિશેષ અહેવાલ.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Jun 13, 2025, 04:10 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

KEY POINTS :

” શ્રીમદ્ ભગવદ ગીતામાં ઉલ્લેખ છે કે “સંઘશક્તિ કલિયુગે ”
” શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશ આધારે સંઘ કાર્યનો પ્રારંભ “
” વિશ્વ શાંતિ-સમૃદ્ધિ માટે સુમેળભર્યા સંયુક્ત હિન્દુ સમાજનું નિર્માણ “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય પ્રારંભનો મુખ્ય સિદ્ધાંત શું હતો ? “
” રાષ્ટ્રીય સ્વયંસ્વક સંઘનો પ્રારંભ ક્યાંથી અને ક્યારે થયો “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શરૂઆત કોણે કરાવી હતી ? “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપદ્ધતિ અને વિચાર-વિસ્તાર “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શું રહી છે મુખ્ય વ્યાખ્યા ? ”
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંરચના કેવી રીતે થાય ? “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કેટલો કાર્ય વિસ્તાર ?”
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં યુવાઓની સક્રિયતા કેવી રહી ? “
” રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નારી શક્તિની સહભાગીતા કેવા પ્રકારની ? “

આજે સંઘ સ્થાપનાના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યો છે.ત્યારે સંઘ વટવૃક્ષના વિચાર અને વિસ્તાર અંગે પ્રસ્તુત છે આ વિશેષ અહેવાલ.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ


શ્રીમદ ભગવદ ગીતાના ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યુ હતું કે ” સંઘ શક્તિ કલિયુગે” અર્થાત ભગવાને અર્જુનને સંબોધતા કહ્યું હતુ કે કળિયુગમાં સંઘ શક્તિ એટલે કે સંગઠન શક્તિ જ શ્રેષ્ઠતા પ્રદાન કરશે.અને તે જ ઉપદેશ આધારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામક સંગઠન અને સ્થાપક સરસંઘચાલકજીને વિચાર આવ્યો હતો.અને આજે દેશમાં રાષ્ટ્રવિચાર થકી રાષ્ટ્ર વિકાસની નેમ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય કરી રહ્યો છે.વર્ષ 1925 ની વિજયા દશમીના દિવસે સંઘના સ્થાપક સર સંઘચાલક ડો.કેશવરાવ બલીરામ હેડગેવારે મહારાષ્ટ્રના નાગપુર સ્થિત મોહિતેવાડા મેદાનમાં પ્રથમ શાખા લગાવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રારંભ કરાવ્યો હતો.તે આજે વિશાળ વટવૃક્ષ બની રહ્યો છે.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સંરચના


સંઘની રચનામાં પ્રાંત સંઘચાલક,પ્રાંત કાર્યવાહ,પ્રાંત પ્રચારક અને તેમના સહાયક એ પ્રકારની રચના હોય છે.જેમને અખિલ ભારતીય પ્રતિનિધિ મંડળ કહેવાય છે.આવા 435 અખિલ ભારતીય પ્રતિનિધિ મંડળના સભ્ય છે. આવા 45 પ્રાંત સંઘ દ્રષ્ટિથી અને પ્રત્યેત પ્રાંતના શારીરિક,બૌદ્ધીક,વ્યવસ્થા,સેવા,પ્રચારક,પ્રચાર,સંપર્ક એવા જે કાર્યવિભાગ છે.તેમના પ્રમુખ છે.આવા 300 પ્રમુખો દેશભરમાં છે.સંઘના સ્વયંસેવકો દેશ ભરમાં રાષ્ટ્ર જાગરણનું કાર્ય કરે છે.એવા 35 સંગઠન કાર્ય કરે છે.અને આવા 300 કાર્યકર્તા મળી કુલ 1500 કાર્યકર્તાઓ સંઘની અખિલ ભારતીય પ્રતિનધિ સભા અપેક્ષિત હોય છે.તો વળી સંઘના વિવિધ સંગઠનો માં જે મહિલાઓ હોય છે.જે જે તે સ્થાનો પર પ્રમુખ પદે કાર્ય કરે છે.આવી 45 મહિલા પ્રમુખો પણ આ સભામાં અપેક્ષિત હોય છે.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્ય વિસ્તાર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કાર્ય વર્ષ 2017 બાદ સતત વધી રહ્યુ છે.અને કોરાના મહામારી પછી પણ સંઘ કાર્ય વિસ્તાર વધ્યો છે.સંઘની રચનામાં 45 પ્રાંતની નિચે વિભાગ હોય છે.તેની નિચે જિલ્લા હોય અને સમગ્ર ભારતમાં આવા કુલ 922 જિલ્લા છે.અને લગભગ 99 ટકા જિલ્લાઓમાં સંઘ કાર્ય ચાલી રહ્યુ છે.જેને તાલુકા કે પછી ડેવલોપમેન્ટ બ્લોક કહેવાય છે.6597 ખંડ છે જેમાં 90 ટકા ખંડમાં 90 સંઘની પ્રત્યક્ષ શાખા છે.તો સંઘ કાર્ય સાથે સંઘ વિસ્તાર પણ વધી રહ્યો છે.છેલ્લા કેટલાક વર્ષોથી અમે તેની પણ નીચે 12 કે 15 ગામના સમુહ બનાવ્યા છે જેને મંડલ નામ અપાયુ છે.આવા 58,981 મંડલ છે.અને હાલ સંઘનુ કાર્ય આ તમામ મંડલો સુધી પહોંચે તેના પર સંઘે વિશ્ષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે.હાલ 47 ટકા આવા મંડલોમાં સંઘ કાર્ય પહોંચ્યુ છે.અને બાકીના મંડલો સુધી પણ સંઘ કાર્ય પહોંચાડવીનુ લક્ષ્ય આગામી દોઢ વર્ષમાં નિર્ધારિત કરાયુ છે.

– સંઘની રાષ્ટ્રીય શાખાના આંકડા -2025

સ્થળ – 51570

શાખા (દૈનિક )- 83139

મિલન (સાપ્તાહિક) – 32147

મંડળી (માસિક) – 12091

શાખા +મિલન +મંડળી = કુલ 1,27,367

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં યુવાઓની સક્રિયતા


દેશમાં દૈનિક ચાલનારી શાખાઓ હાલ 73,177 છે અને આ શાખાઓમાં 63 ટકા શાખાઓ વિદ્યાર્થીઓ એટલે કે યુવાઓની છે.અને 40 ટકા શાખાઓ એવી છે જેમાં વ્યવસાયી સ્વયંસેવકો છે.તો વળી 40 વર્ષથી વધુના આયુષ્ય ધરાવતા પૌઢ સ્વયંસેવકો ધરાવતી કુલ 11 ટકા શાખાઓ છે.એટલે કે યુવાઓની સક્રિયતા શાખામાં સૌથી વધુ છે જે એક સારી બાબત છે.શાખાઓની સંખ્યામાં પણ છેલ્લા વર્ષથી 4,466 શાખાઓનો વધારો થયો છે.દૈનિક શાખાઓ ઉપરાંત સાપ્તાહિક શાખા કે સાપ્તાહિક મિલન જેને કહવાય છે તેવી શાખાઓ દેશમાં 27,7,17 છે તે સપ્તાહમાં એક દિવસ લાગે છે. અને તેમાં પણ પાછલા વર્ષથી 840 નો વધારો થયો છે. આ રીતે સંઘકાર્યનો વિસ્તાર થઈ રહ્યો છે.જ્યારે નગર અને મહાનગરની વાત કરીએ તો 10,000નું યુનિટ તેને વસ્તી નામ અપાયુ છે. 44,411 કુલ યુનિટ એટલે કે વસ્તીઓ છે.આવી 52 ટકા વસ્તીઓમાં સંઘની પ્રત્યક્ષ શાખાઓ ચાલે છે.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નારી શક્તિની સહભાગીતા
આ રીતે સંઘના સ્વયંસેવકો વિવિધ જગ્યાએ સંઘનું કાર્ય કરે છે તેમાં મહિલાઓ પણ સંઘ કાર્ય કરે છે.આ મહિલા સંગઠનનું નામ મહિલા સમન્વય છે.અને આ રીતે મહિલાઓ પણ રાષ્ટ્ર જાગરણ થાય અને મહિલાઓ પણ નિર્માણ કાર્યમાં પ્રવૃત્ત થાય તે માટે રાષ્ટ્ર સેનિકા સંઘના સહયોગથી સંઘ શતાબ્દિ વર્ષ નિમિતે વિભાશા મહિલા સંમેલનો થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 44 પ્રાંતોમાં 460 આ પ્રકારના મહિલા સંમેલનો થયા જેમાં 5.61 લાખ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.તો વળી ભારતીય ચિંતનમાં મહિલાઓનું સ્થાન શું છે,રાષ્ટ્રીય જાગરણમાં મહિલાઓમાં જાગૃતિ આવે અને સમાજ પરિવર્તનમાં મહિલાઓની સહભાગીતા વધે અને સમાજિક ઉત્કર્ષમાં તે આગળ આવી કાર્ય કી શકે તેવા ચાર વિષયો પર મહિલા સંમેલનો થયા અને તેનું આયોજન પણ મહિલાઓ થકી જ થયુ અને મહિલાઓએ જ તેમને પ્રબોધન એટલે કે માર્ગદર્શન કર્યુ હતુ.

– રામ મંદિર થકી સંઘ દ્વારા રાષ્ટ્ર જાગરણ કાર્ય


હાલમાં જ રામ મંદિર થકી જે પ્રકારે રાષ્ટ્ર જાગરણ થયુ તેમાં આપણે સૌએ 22 જાન્યુઆરી ના રોજ અનુભવ કર્યો અને આજે પણ દેશમાં ભ્રમણ કરીએ તો ગામ-શહેરોમાં શ્રી રામ પતાકાઓ લહેરાઈ રહી છે.અને આ પ્રકારે સમગ્ર સ્થળો પર સૌથી વધ જન સંપર્ક થયો છે.જે પ્રકારે અક્ષત એટલે કે ચોખા વિતરણ થયુ તે સંઘના સ્વયંસેવકો દ્વારા સંપર્ક અભિયાન ચાલ્યુ તેના આંકડા પર નજર કરીએ તો અંદાજે 6 લાખ ગામોમાં આ સંપર્ક થયો છે. આ આંક ભારતના ગામડાઓની કુલ સંખ્યાના 90 ટકા થાય છે.આ રીતે 19.38 કરોડ પરિવારોમાં સંપક્ર થયો છે. અને તેમાં 44.98 લાખ કાર્યકર્તાઓ તેમાં જોડાયા હતા. આ અંદાજી આંકડો છે અને તે આનાથી વણ વધુ હોઈ શકે છે. તો વળી 22 જાન્યુઆરીના રોજ જે કાર્યક્રમ થયો તેમાં અંદાજે 5.60 લાખ સ્થળો પર લગભગ 9.85 લાખ કાર્યક્રમો થયા 27.81 કરોડ થી વધુ લોકો તેમાં સહભાગી થયા હતા.આટલા મોટા પ્રમાણમાં એક પણ અઘટીત ઘટના વિના ઉત્સાહ પૂર્ણ રીતે જે કાર્યક્રમો થયા તેનાથી દેશભરમાં એક નવી ચેતના એટલે કે ઉર્જાનો સંચાર થયો છે.

– રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દિ વર્ષની ઉજવણી


આમ સંઘ જે પ્રકારે કાર્ય કરી રહ્યો છે.તેમાં સંઘના સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવારજીનો પ્રથમ દિવસથી જ સ્પષ્ટ વિચાર રહ્યો છે કે સંઘ સમાજમાં માત્ર સંસ્થા સંગઠન નથી પરંતુ સંઘ સમગ્ર સમાજોનું સંગઠન છે. તેવામાં સંઘનો શતાબ્દિ વર્ષની ઉજવણીનો પ્રારંભ વર્ષની ઉજવણી વર્ષ 2025ની વિજયાદશમીથી લઈ 2026ની વિજયાદશમી સુધી થશે.પરંતુ સંઘની શતાબ્દિ વર્ષની ઉજવણી અલગથી ઉજવવાનું કોઈ કારણ નથી અને તેથી સંઘનું કાર્ય પૂર્ણ કરવા પર ભાર રહેશે.આ રીકે સંઘ શતાબ્દિ વર્ષ શરૂ થાય તે પહેલા સંઘનું કાર્યનો વિકાસ વધુમાં વધુ થાય કાર્યનું દ્રઢિકરણ થાય તેના પર ભાર રહેશે.

– પંચ પરિવર્તન સંઘનો મંત્ર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનુ શતાબ્દિ વર્ષ શરૂ થાય ત્યારે સ્વયંસેવક સમાજ પરિવર્તન માટે કામે લાગવાનું રહેશે
રાષ્ટ્રની ઉન્નતિ માટે સ્વયંસેવક સંઘમાં સક્રિય થતા હોય છે. તેમની સક્રિયતા વધે અને સંઘનો પંચ પરિવર્તનનો જે મંત્ર છે.આમ સ્વનું પ્રગટીકરણ થકી પંચ પરિવર્તનના વિષયોને લઈ સ્વયંસેવકો સક્રિય થશે. એટલે કે સ્વયંસેવકો સ્વયંથી વયંમના સિદ્ધાંત સાથે કાર્ય કરશે.અને પંચ પરિવર્તન પર એક વર્ષ સુધી પોતે તેનું પાલન કરી એક વર્ષ પછી તે લોકો સમક્ષ જઈ પંચ પરિવર્તન અને લોક જાગૃતિ લાવશે.


1. કુટંબ પ્રબોધન
2. પર્યાવરણ રક્ષા
3.સામાજિક સમરસતા
4. નાગરિક કર્તવ્ય પાલન
5. સ્વદેશીનો આગ્રહ

– સોશિયલ માધ્યમથી સંઘ વિસ્તાર
હવે સમાજ તો આ બધા સંઘ કાર્યોને લઈ સંઘ સાથે સહભાગી થવા સક્રિય થયો છે.પરંતુ જેને ખ્યાલ નથી કે સંઘમાં જોડાવા કોનો સંપર્ક કરવો તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઈટ પર Join RSS રિકવેસ્ટ થકી તે સંપર્ક કરી શકે છે.અને છેલ્લા એક વર્ષમાં સોશિયલ માધ્યમથી વર્ષ 2017 થી લઈ 2023 સુધી પ્રતિવર્ષ એક લાખથી વધુ રિકવેસ્ટ આવી છે. અને વિશેષ ત: જાન્યુઆરી – ફેબ્રુઆરી 2024 માં આ રિકેવેસ્ટની સંખ્યા ડબલ થઈ છે. ગત વર્ષ 2023 જાન્યુઆરી – ફેબ્રુઆરીમાં 13,168 રિક્વેસ્ટ આવી હતી.જ્ વર્ષ 2024 ના જાન્યુઆરી-ફેબ્રુઆરીનામાં ડહલ થઈને 27,360 જેટલી છે. આરિક્વેસ્ટ મોકલનારમાં મોટા ભાગના એટલે કે 70 ટકા યુવાએ છે જે 20 થી લઈ 35 વર્ષના છે.

– સંઘ શિક્ષાવર્ગના પ્રકારમાં બદલાવ


આપણે સૌ જાણીએ છીએ કે સંઘ શિક્ષાવર્ગ ત્રણ હોય છે.ત્રીજો સંઘ શિક્ષાવર્ગ નાગપુર ખાતે યોજાય છે. પણ તેના પ્રકારમાં થોડો બદલાવ કરાયો છે. જેવુ કે પહેલા સાત દિવસનો પ્રથમિક શિક્ષા વર્ગ થતો અને 20 દિવસનો પ્રથવ વર્ષ શિક્ષાવર્ગ હોતો.તો 20 દિવસીય દ્વિતીય વર્ષ ક્ષેત્રોમાં થતો તો તૃતિય વર્ષ સંઘ શિક્ષા વર્ગ નાગપુર ખાતે 25 દિવસનો થતો હતો.તેમાં થોડા બદલાવ કરીને ત્રણ દિવસનો પ્રારંભિક વર્ગ થશે જેમાં નવા સ્વયંસેવકેને સીધા જોડાવામાં આવશે.ત્યારબાદ સાત દિવસનો પ્રાથમિક શિક્ષા વર્ગ થશે.ત્યાર પછી જે પહેલા પ્રથમ વર્ષ શિક્ષા વર્ગ કહેવાતો તે 15 દિવસનો સંઘ શિક્ષા વર્ગ હશે.તો દ્વિતીય શિક્ષા વર્ગ હતો તે ક્ષેત્રીય 20 દિવસીય શિક્ષા વર્ગ હશે.જેને કાર્યકર્તા વિકાસ વર્ગ -1 નામ હશે.અને જો નાગપુરમાં યોજાતા તૃતિય વર્ષ સંઘ શિક્ષા વર્ગ હતુ તે હવે કાર્યકર્તા વિકાસ વર્ગ – 2 નામ હશે. ખાસ કરીને યુવાઓનું જોડાણ અને લોકોનની વ્યસ્તતાને ધ્યાને લઈ આ બદલાવ કરવામાં આવ્યો છે.

– સંઘકાર્યનો મુખ્ય સિદ્ધાંત અને વ્યાખ્યા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સામાજિક સમરસતા,રાષ્ટ્રીયતા અને સમાજ સંરચનાના મંત્ર સાથે કાર્ય કરે છે.સંઘનો પ્રથમથી જ એક સિદ્ધાંત રહ્યો ઠે કે “વ્યકિત-વ્યક્તિમાં શક્તિ અને સંસ્કારનું સિંચન કરવુ અને સિંચિત થયેલ વ્યક્તિને રાષ્ટ્રકાર્યમાં જોડવો.”

– પ્રતિનિધિ સભા નિર્ણયની દ્રશ્ટિએ સંઘની સૌથી મહત્વની બેઠક
પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આખિલ ભારતીય પ્રતિનિધિ મંડળની સભા મળે છે.અને નિર્ણયની દ્રશ્ટિથી જોવાય તો સંઘની આ ખૂબ જ મહત્વની બેઠક ગણાય છે.બેઠકના પ્રારંભે જ સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી ગત વર્ષ 2024-25 નું વૃત્તાંત એટલે કે રિપોર્ટ રજૂ કરશે.જેમા ગત વર્ષે સંઘની શાખાની સ્થિતિ ,કાર્યવાહી અને યોજાયેલ કાર્યક્રમો વગેરેની વિગતો આપશે.સાથે જ દેશભરના પ્રાંતોએ જે કર્યો કર્યા છે. તે પણ જરૂ કરશે.તો વળી પાછલા વર્ષમા ઘટનાઓ,કાર્યક્રમોમાં સંઘની ભમિકા પણ તેઓ રજૂ કરશે.

– અખિલ ભારતીય પ્રતિનિધિ – અપેક્ષિત કાર્યકર્તા

સંઘમાં પ્રતિનિધિ શાખામાંથી શોધવામાં આવે છે. સંઘમા પ્રતિજ્ઞામુ કાર્ય થાય છે. 18 વર્ષથી ઉપરના એવા સ્વયંસેવક જે જીવનભર સંઘનું કાર્ય કરવા પ્રતિજ્ઞા લે છે. અને આવા પ્રતિજ્ઞાબદ્ધ અને કર્મશીલ 50 સ્વયંસેવકોમાંથી એક શાખા પ્રતિનિધિ નક્કી કરાય છે અને આવા 40 શાખા પ્રતિનિધિમાંથી એક અખિલ ભારતીય પ્રતિનિધિ ચૂંટવામાં આવે છે. દર ત્રણ વર્ષ માટે ચૂંટવામાં આવે છે. આ વર્ષ અખિલ ભારતીય પ્રતિનિધિની ચૂંટણી વર્ષ છે ત્યારે દેશભરમાંથી આવા 203 પ્રતિનિધિ જેને અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનાં સભ્યની ચૂંટણી થાય છે. જે આ પ્રતિનિધિ સભાની બેઠકમાં હાજર રહે છે.

– અખિલ ભારતીય પ્રતિનિધિ સભાના મુદ્દા કયા હોય ?
પ્રતિવર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આખિલ ભારતીય પ્રતિનિધિ મંડળની સભા મળે છે.અને નિર્ણયની દ્રશ્ટિથી જોવાય તો સંઘની આ ખૂબ જ મહત્વની બેઠક ગણાય છે. બેઠકના પ્રારંભે જ સંઘ સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલેજી ગત વર્ષ 2024-25 નું વૃત્તાંત એટલે કે રિપોર્ટ રજૂ કરશે.જેમા ગત વર્ષે સંઘની શાખાની સ્થિતિ ,કાર્યવાહી અને યોજાયેલ કાર્યક્રમો વગેરેની વિગતો આપશે.સાથે જ દેશભરના પ્રાંતોએ જે કર્યો કર્યા છે. તે પણ જરૂ કરશે.તો વળી પાછલા વર્ષમા ઘટનાઓ,કાર્યક્રમોમાં સંઘની ભમિકા પણ તેઓ રજૂ કરશે.

– સંઘના શતાબ્દિ વર્ષની ઉજવણી
તો વળી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને આ વર્ષે 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1925 માં વિજયાદશમીના રોજથી મહારાષ્ટ્રના નાગપુરથી સંઘનું કાર્ શરૂ થયુ હતુ. અને ત્યારબાદ તેનો દેશભરમાં વિસ્તાર થયો.ત્યારે 100 વર્ષ નિમિત્તે જે કાર્યવિસ્તારની જે યોજના હતી.તેનું વિવરણ પણ સમિક્ષા થશે.જે લક્ષ્ય રાખવામાં આવ્યા હતા તેની પણ સમીક્ષા થશે.વિજયા દશમી 2025 થી વિજયાદશમી 2026 આ એક વર્ષ એ સંઘનો શતાબ્દિ વર્ષ ગણવામાં આવશે.અને આ શતાબ્દિ વર્ષ નિમિત્તે જે પણ કાર્યક્રમ,ઉપક્રમ થનાર છે તે અંગ પણ આ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.અને બેઠકના અંતે આ તમામ નિર્ણયો સાર્વજનિક કરવામાં આવશે. પત્રકારોને પણ માહિતી આપવામાં આવશે.સામાન્ય રીતે સમાજના બધા જ લોકો વચ્ચે સંઘના વિચારો,સંઘનું કાર્ય પહોંચે,વિચારોની સ્પષ્ટતા કરવી,એ બધુ જ શતાબ્દિ વર્ષમાં કરવામાં આવશે.સાથે જ સમાજના ઘણા લોકોના સહભાગીતા છે.સ્વયંસેવકોએ જેટલા પણ કાર્યો કર્યા છે. તેના સાથે સમાજના લોકોની સહભાગીતા કેવા રીતે વધે તે સંદર્ભે પણ આ બેઠકમાં આહવાન કરવામાં આવશે.

– પંચ પરિવર્તન પર શું હશે આયોજન ?
પંચ પરિવર્તન બાબતે પણ આ સભામાં વ્યાપક ચર્ચા થશે.તેમાં પણ સમાજના લોકો,સામાજિક સંસ્થાઓ ને કેવી રાતે જોડવામાં આવે કેવી રીતે સહભાગી બનાવાય તે અંગે કાર્ય પધ્ધતિ અંગે પણ વિસ્તૃત ચર્ચા આ બેઠકમાં થશે.પંચ પરિવર્તન સામાજિક સમરસતા,પરિવાર પ્રબોધન,પર્યાવરણ સુરક્ષા,સ્વદેશી આગ્રહ અને નાગરિક કર્તવ્ય એમ પાંચ વિષયો પર ખાસ યોજના બનશે.મુખ્યરૂપે જ્યારે પણ આવા કાર્યક્રમો કે બેઠક મળે ત્યારે દેશભરમાંથી કાર્યકરો હાજર રહે છે. અને તેઓના તેમના સ્થાને ઉપસ્થિત થતી પરિસ્થિતિ,તેમના અનુભવ જેમાં રાષ્ટ્ર સાથે જોડાયેલી રાષ્ટ્ર સુરક્ષા,દેશનું હિત વગેરે સૌ સમક્ષ મુકશે.અને તે મુજબ આગળની યોજનાઓ અંગે નિર્ણય થશે.

– પરિવર્તનશીલ કાર્યસૂચિ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આગામી કેટલાક દાયકાઓ માટે તેના પરિવર્તનશીલ કાર્યસૂચિની રૂપરેખા આપી, જેમાં સંવાદિતા અને સમાનતા પર આધારિત “પુરુષાર્થી સમાજ” ની સ્થાપનાનો સમાવેશ થાય છે. પંચ પરિવર્તનમાં સામાજિક સમાનતા,પર્યાવરણીય ટકાઉપણું, કૌટુંબિક મૂલ્યો, ભારતીય મૂલ્યો પર આધારિત સ્વાર્થ અને નાગરિક ફરજો માટે સામાજિક જાગૃતિ જેવા પરિમાણોનો સમાવેશ થાય છે.

– સંઘ શતાબ્દિ વર્ષની ઉજવણીની રૂપરેખા


આ વર્ષે વિજયાદશમી આરએસએસની 100મી વર્ષગાંઠ છે.જેમ અગાઉ ઉલ્લેખ કર્યો છે,આવનારું વર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યને વિસ્તૃત અને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સંઘનો ઉદ્દેશ્ય આ સિદ્ધિની ઉજવણી કરવાનો નથી પરંતુ આત્મનિરીક્ષણ, સમાજ દ્વારા સંઘના કાર્યને આપવામાં આવેલા સમર્થન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાને ફરીથી સમર્પિત કરવા અને સમાજને એક કરવા માટે.તેમણે કહ્યું કે શતાબ્દી વર્ષમાં વધુ કાળજી,ગુણવત્તા અને વ્યાપકતા સાથે કામ કરવાનો સંકલ્પ.

1.શતાબ્દી વર્ષ 2025 વિજયાદશમીના અવસરે શરૂ થશે, જેમાં મંડળ, બ્લોક/શહેર સ્તરે સ્વયંસેવકોના યુનિફોર્મ (સંઘ યુનિફોર્મ) ના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દર વર્ષની જેમ, આ પ્રસંગે સરસંઘચાલક જી સ્વયંસેવકોને સંબોધિત કરશે.

2. નવેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 સુધી ત્રણ અઠવાડિયા માટે “હર ગાંવ, હર બસ્તી,ઘર-ઘર” થીમ સાથે એક વિશાળ ઘરે-ઘરે સંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.સંપર્ક દરમિયાન,સંઘ સાહિત્યનું વિતરણ કરવામાં આવશે અને સ્થાનિક એકમો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

3.બધા મંડળો અને વસાહતોમાં હિન્દુ પરિષદોનું આયોજન કરવામાં આવશે,જેમાં કોઈપણ ભેદભાવ વિના દરેકના જીવનમાં એકતા અને સંવાદિતા,રાષ્ટ્રના વિકાસમાં સૌનું યોગદાન અને પંચ પરિવર્તનમાં દરેક વ્યક્તિની ભાગીદારીનો સંદેશ આપવામાં આવશે.

4. બ્લોક/શહેર સ્તરે સામાજિક સંવાદિતા બેઠકોનું આયોજન કરવામાં આવશે,જેમાં સાથે રહેવા પર ભાર મૂકવામાં આવશે.આ બેઠકોનો હેતુ સાંસ્કૃતિક આધાર અને હિન્દુ પાત્ર ગુમાવ્યા વિના આધુનિક જીવન જીવવાનો સંદેશ આપવાનો રહેશે.તેમણે મહાકુંભનું ઉદાહરણ આપ્યું, જ્યાં તમામ પ્રદેશોના લોકો એકઠા થયા હતા.

5. સરકારીવાહજીએ કહ્યું કે જિલ્લા સ્તરે મુખ્ય નાગરિક સંવાદોનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમો રાષ્ટ્રીય મુદ્દાઓ પર યોગ્ય પ્રવચન સ્થાપિત કરવા અને આજે પ્રચલિત ખોટા પ્રવચનને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

6. પ્રાંતો દ્વારા યુવાનો માટે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.15થી 30 વર્ષની વય જૂથના યુવાનો માટે રાષ્ટ્ર નિર્માણ,સેવા પ્રવૃત્તિઓ અને પંચ પરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. સ્થાનિક એકમો જરૂરિયાત મુજબ કાર્યક્રમોનું આયોજન કરશે.

સંઘની 100 વર્ષની યાત્રાનો સંઘનો ઉદ્દેશ્ય હિન્દુ સમાજનું પુનર્જાગરણ રહ્યું છે.સંઘનો ધ્યેય હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે.અસ્પૃશ્યતા જેવા ઘણા સહજ દુષણોને કારણે આ એક મુશ્કેલ કાર્ય હતું. સંઘ તેની શાખાઓ અને રાષ્ટ્રવ્યાપી પ્રવૃત્તિઓ દ્વારા આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સતત કાર્યરત છે,એક સુમેળભર્યા સમાજ અને રાષ્ટ્ર માટે બધાને એકસાથે લાવી રહ્યું છે.

– સંવાદિતા અને સદ્ભાવના પર પૂજ્ય સરસંઘચાલકજીના વિચાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતજીએ વિજયાદશમી પર્વ 2024 ની ઉજવણીના સંબોધનમાં જણાવ્યુ કે સ્વસ્થ અને મજબૂત સમાજ માટે પહેલી શરત સામાજિક સંવાદિતા અને સમાજના વિવિધ વર્ગો વચ્ચે પરસ્પર સંવાદિતા છે. આ કાર્ય ફક્ત કેટલાક પ્રતીકાત્મક કાર્યક્રમો યોજવાથી પૂર્ણ થતું નથી.સમાજના તમામ વર્ગો અને સ્તરોમાં વ્યક્તિઓ અને પરિવારો વચ્ચે મિત્રતા હોવી જોઈએ.આપણે બધાએ વ્યક્તિગત અને પારિવારિક સ્તરે આ પહેલ કરવી પડશે.દરેક વ્યક્તિએ પરસ્પર તહેવારોમાં ભાગ લેવો જોઈએ અને તે સમગ્ર સમાજના તહેવારો બનવા જોઈએ. સમાજના તમામ વર્ગોમાં મંદિરો, પાણી, સ્મશાન વગેરે જેવા જાહેર ઉપયોગ અને પૂજા સ્થળોમાં ભાગીદારીનું વાતાવરણ હોવું જોઈએ. સંજોગોને કારણે સમાજના વિવિધ વર્ગોની જરૂરિયાતોને બધા વર્ગોએ સમજવી જોઈએ. જેમ પરિવારના મજબૂત સભ્યો નબળા સભ્યો માટે વધુ જોગવાઈઓ કરે છે, ક્યારેક પોતાના નુકસાનની કિંમતે પણ, તેવી જ રીતે આવી જરૂરિયાતોને પોતાનાપણુંની ભાવનાને ધ્યાનમાં રાખીને ધ્યાનમાં લેવી જોઈએ.

– સ્વસ્થ સમાજ રચના માટે કાર્ય : પૂજ્ય સરસંઘચાલકજી


સમાજમાં ઘણી જાતિઓની પોતાની સંસ્થાઓ અને સંસ્થાઓ પણ હોય છે જે તેમને ચલાવે છે.આ સંસ્થાઓના નેતૃત્વ દ્વારા પોતપોતાની જાતિઓના હિતોના વિકાસ,સુધારણા અને જ્ઞાનનો વિચાર કરવામાં આવે છે.જો જ્ઞાતિ સમુદાયના નેતાઓ સાથે બેસીને દરરોજ બે વિષયો પર વિચાર કરે,તો સમાજમાં સર્વત્ર સદ્ભાવનાપૂર્ણ વર્તનનું વાતાવરણ સર્જાશે સમાજને વિભાજીત કરવાનું કોઈ પણ કાવતરું સફળ થશે નહીં.પહેલો વિષય એ છે કે આપણે બધા મળીને દેશના હિત માટે,આપણા કાર્યક્ષેત્રના સમગ્ર સમાજના હિત માટે,યોજનાઓ બનાવીને અને તેને પરિણામ સુધી લઈ જઈને શું કરી શકીએ છીએ.તેવી જ રીતે, બીજો વિષય એ છે કે આપણે બધા મળીને આપણામાં રહેલી નબળી જાતિ કે વર્ગના હિત માટે શું કરી શકીએ છીએ? જો આવા વિચારો અને કાર્યો નિયમિત રીતે થતા રહે, તો સમાજ સ્વસ્થ બનશે અને સદ્ભાવનાનું વાતાવરણ પણ બનશે.

 

Tags: #rssArun KumarjiDattatreya HasabaljeeDevelopmentDr. Keshav Baliram HedgewarDr.Mohan BhagwatDr.Sunil AmbekarRashtriya Swayam sevsevak Sangh
ShareTweetSendShare

Related News

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી
જનરલ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

જગન્નાથ રથયાત્રા :  અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ
કલા અને સંસ્કૃતિ

જગન્નાથ રથયાત્રા : અમદાવાદ રથયાત્રાનો ઈતિહાસ,પરંપરા અને આરોહ-અવરોહ અંગે વિસ્તૃત અહેવાલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે
જનરલ

ગુજરાતનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : ” જળ સંચય અભિયાન ” ભાવિ પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ
જનરલ

‘ડિ-લિસ્ટિંગ’ ધાર્મિક ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે : અરવિંદજી નેતામ

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત
આંતરરાષ્ટ્રીય

આપણા મૂળ એકતામાં છે,વિવિધતામાં નહીં : સરસંઘચાલક ડો.મોહન ભાગવત

Latest News

ઉત્તરાખંડ : દુ:ખદ હેલિકોપ્ટર અકસ્માત બાદ PM મોદીએ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસમાં સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું

PM મોદીએ સાયપ્રસના રાષ્ટ્રપતિ સાથે સંરક્ષણ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી

PM મોદી અને સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ એક વ્યાપાર ગોળમેજી કાર્યક્રમમાં ભાગ લીધો

ગુજરાત: પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પરિવાર તેમના પાર્થિવ દેહ સાથે રાજકોટ પહોંચ્યો

બંગાળની ખાડીમાં હલચલ : સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

 દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત : વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા ગ્લોબલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સફળ રહી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાંજે અમદાવાદ પહોંચશે, વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે

કેદારનાથ ધામમાં શ્રદ્ધાની લહેર ઉઠી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

લંડનમાં હાઈ કમિશન બહાર ભારતીય સમુદાયના સભ્યોએ વિમાન દુર્ઘટનાના પીડિતોને શ્રદ્ધાંજલિ આપી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.