KEY POINTS :
- ” જળ એજ જીવન છે તો પાણીનો આડેધઢ વેડફાટ કેમ ? “
- ” શું ત્રીજું વિશ્વ યુદ્ધ પાણી માટે થશે ? “
- ” શું આપ જાણો છો કે ભૂગર્ભ જળની સ્થિતિ શું છે ? ”
- ” ભૂગર્ભ જળ ઉંડા જાય તો શું સ્થિતિ સર્જાઆ શકે ? ”
- ” પાણી બચાવવાના ઉપાયો કયા કયા હોઈ શકે ? “
- ” ગુજરાતના ડેમોમાં હાલ કેટલુ જળસ્તર ? “
- ” વરસાદી પાણીને સંગ્રહ કરવા માટે સરકારે શુ પગલા લીધા ? “
- ” જળ સંચય અભિયાન હેઠળ કયા કયા કાર્યો થયા ? “
- ” જળ સંચય અને જન ભાગીદારી કેવી સફળ રહી ? “
- ” જળ સંરક્ષણ અને ઉપયોગીતાની કેવી પદ્ધતિઓ ? “
આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે ” વાણી અને પાણી વિચારીને વાપરો ” એટલે કે વાણીનો તેમજ પાણીનો કરકસર પૂર્વક ખૂબ વિચારીને કરવો જોઈએ જેમાં ખાસ કરીને પાણીની બચત કરવી ખૂબ આવશ્યક બની છે,જે રીતે ભૂગર્ભમાં પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે અને તેથી વાત કરીએ તો ગુજરાતમાં ઘણા વિસ્તારો ડાર્ક ઝોનમાં આવી ગયા તે જોતા પાણીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો હિતાવહ છે કારણ કે પાણી વિના જીવન શક્ય નથી.ત્યારે ગુજરાત સરકારે જળસંગ્રહ માટે ” જળ સંચય અભિયાન” શરૂ કર્યુ તે વિશે પ્રસ્તુત છે વિસ્તૃત અહેવાલ.
– જળ એ વિકાસશીલ વસ્તુનો આધાર
જળ વિકાસશીલ વસ્તુનો મુખ્ય આધાર છે.તેથી જો તમે વિકાસની દિશામાં દોડ મૂકો છો તો તમારે વિકસિત જળ નિયમન અને ઉકેલ જરૂરી છે.આ સમય પાણીના પ્રાપ્તિ સ્થાનથી પાણીના ઉપયોગના છેવાડા સુધી દીર્ધ દષ્ટિ પાથરવાનો છે.જળ નિયમન એટલે જમીન જળના વિભાગો અને જમીન પિયતના સંગ્રહ સ્થાનોનું સંયોજીત સંકલન.
– કહેવાય છે કે ત્રીજુ વિશ્વયુદ્ધ પાણી માટે થઈ શકે
વિશ્વભરમાં વસ્તી વધારાની સાથે સાથે શુદ્ધ પાણીની જરૂરિયાતો પણ વધતી જાય છે અને મર્યાદિત શુદ્ધ પાણીના જથ્થા સામે આ સમસ્યા દિન-પ્રતિદિન ઘેરી બનતી જાય છે.આ સમસ્યાથી ભવિષ્યમાં કોઈપણ દેશ બાકાત રહેવાનો નથી.અત્યાર સુધીમાં બે વિશ્વ યુદ્ધો થયા તે જમીન અને સંપત્તિ માટે થયા પણ ત્રીજુ વિશ્વ યુદ્ધ થશે તો તે પાણી માટે અને પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે થશે.આ સમસ્યાને પહોચી વળવા માટે શુદ્ધ પાણીના સ્ત્રોતનું વ્યવસ્થિત આયોજન થવું જરૂરી છે અને તે સુયોજીત જળ નિયમન દ્વારા જ શક્ય છે.શુદ્ધ પાણી સમાજને આરોગ્ય અને સ્વાથ્ય પ્રદાન કરે છે જેનું આયોજન વ્યવસ્થિત રીતે જળ નિયમન દ્વારા કરી શકાશે.
– જળ સંચયની મુખ્ય પદ્ધતિઓ
એખ અંદાજ અનુસાર આપણે ત્યાં જેટલો વરસાદ થાય છે તેમાંથી માત્ર 40 ટકા ભાગ જ આપણે પિયત માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ.જો આપણે આપણી ખેતીને સમૃદ્ધ બનાવવી હશે તો વરસાદના પાણીનો સંચય કરી અને તેનો સિંચાઈમાં કાર્યક્ષમ ઉપયોગ કરવો જ પડશે.
– જળ સંચયની ત્રણ રીતો :
1. જમીન સપાટી પરથી ઝરણ દ્વારા જળ સંચય :
વરસાદ પડતા તેનો કેટલોક ભાગ જ્મીનના પડમાં ઉતરે છે જેને ઝમણ કહેવામાં આવે છે. ઝમણ દ્વારા જમીનમાં ઉત્તરના પાણીનો કેટલોક ભાગ જમીનમાં ભેજરૂપે જ જળવાય છે. અમુક ભાગ સપાટી પરથી સીધો જ બાષ્પીભવન દ્વારા ઉડી જાય છે અને બાકી ભાગ જમીનમાં ઉંડ ઉતરી ભૂગર્ભજળમાં વધારો કરે છે.અને જળસ્તર ઉપર આવતા જમીનમાંથી ક્ષાર ધોવાઈ જાય છે.જેથી જમનની ફળદ્રુપતા વધે છે.
– સપાટ જમીન પર જળ સંચયની 10 પદ્ધતી
1. ઉંડી ખેડ
2. વાનસ્પતિક આવરણ
3. આવરણ
4. પાણીનો રેલાવ
5. ઉંડા ખાડા કરવા
6. ક્યારા પદ્ધતિ
7. વહેતા ઝરણામાં આડાશ કે પાળા બાંધવા
8. જમીન એક સરખી કરી પાળા બાંધવા
9. ઢાળની આડી દિશામાં કૃષિકાર્ય
10. વરસાદ પહેલા ચાસ ખુલ્લા કરવા
2. જમીન સપાટી પર વહી જતું પાણી રોકીને નાના સંગ્રહ સ્થાનોમાં જળ સંચય કરવાની રીતો :
1. પાકો ચેક ડેમ :
સપાટ જમીન પર પહી જતા પાણીને રોકવા માટે નાની નહેરો,વોંકળા વગેરે પર પાકા ચેકડેમ બાંધીને વહી જતુ પાણી અઠકાવી શકાય છે.અને આ રોકાયલા પાણીથી આપપાસના કૂવા,નાના બોરવેલ રિચાર્જ થાય છે.અને બાષ્પિભવન વ્યવ ઘટે છે. જેથી જળ સંગ્રહ તેમજ સંચય વધુ થાય છે.
2. માટીના ચેક ડેમ
ચેકડેમ એ એક નાનો,ક્યારેક અસ્થાયી,પાણીના પ્રવાહના વેગને ઘટાડીને ધોવાણનો સામનો કરવા માટે સ્વેલે,ડ્રેનેજ ખાઈ અથવા જળમાર્ગ પર બાંધવામાં આવે છે.જેથી પાણી સિધુ જ જમીનમાં ઉતરે છે અને ભૂગર્ભ જળસ્તર વધે છે.
3. ખેત તલાવડી
ખેત તલાવડીએ ખેતરમાં ખોદવામાં આવેલ ચોક્કસ આકાર અને કદ ધરાવતું તેમજ પાણીના નિકાલ માટે યોગ્ય ઈનલેટ અને આઉટલેટ ધરાવતું સ્ટ્રકચર છે કે જેના દ્વારા ખેતરમાં વહેતા વરસાદના પાણીને તેમાં ભેગું કરવામાં આવે છે.સામાન્ય રીતે ખેત તલાવડી ખેતરના નીચાણવાળા ભાગમાં બનાવવામાં આવે છે. જે જગ્યાએ વરસાદ આધારિત ખેતી થતી હોય ત્યાં ખેત તલાવડી ખૂબ જ ઉપયોગી છે.જો વરસાદની સિઝનમાં એક કે બે સારા વરસાદ પડે કે જેને કારણે ખેતરમાં પાણીનું વહેણ મળી રહે ત્યાં ખેત તલાવડીમાં ખેતરનું પાણી એકત્ર કરી શકાય છે.
4. પાણીની ટાંકીઓ
પાણીની ટાંકી એ પાણીનો સંગ્રહ કરવા માટેનું એક કન્ટેનર છે,જેમાં ઘણી એપ્લિકેશનો, પીવાનું પાણી, સિંચાઈ, અગ્નિ નિવારણ, ખેતી, છોડ અને પશુધન બંને માટે, રાસાયણિક ઉત્પાદન, ખાદ્યપદાર્થો તેમજ અન્ય ઘણા ઉપયોગો માટે છે.
3. વહી જતા પાણીને સીધુ જ જમીનમાં ઉતારી જળ સંચય કરવાની રીતો:
1. કુવા રીચાર્જિગ
ખેડુતો દ્વારા ખોદવામાં આવેલ કુવાઓને કૃત્રિમ રીતે ભૂગર્ભ જળના સ્તર ઉંચા લાવવા માટેન કુવાઓમાં વરસાદના પાણીને ઠાલવીને ભૂગર્ભ જળ રીચાર્જ કરવા માટે કૃત્રિમ રીચાર્જ સ્ટ્રકચર બનાવવા લાભાર્થીના ખાતામાં સહાય ચુકવવામાં આવશે.કુવા રીચાર્જથી ચોખ્ખુ ગાળેલુ પાણી કુવામાં સંગ્રહ થશે અને તે સંગ્રહીત વરસાદી પાણીનો ઉપયોગ સિંચાઈના કામમાં થશે.
– બોરવેલ રીચાર્જિંગ
ખેતરમાં છીદ્રો વાળી પાઈપલાઈન જમીનમાં ઉતારી વરસાદી પાણીને જમીનમાં પાણી ઉતારવામાં આવે છે.જેથી વ્યય થતુ વરસાદી પાણી જમીનમાં ઉતરે અને જળ સ્તર વધે છે.તેવી જ રીતે રહેણાંક વિસ્તારમાં ડંકી રિચાર્જિગ તેમજ તળાવમાં બોર દ્વારા રીચાર્જિંગ કરવામાં આવે છે.
– આયોજન સાથે પાણીનો વપરાશ
પાણીનો માત્ર સંચય જ મહત્ત્વનો નથી પરંત જો આપણે તેને કોઈપણ જાતના આયોજન વગર વાપરશું તો તે પણ ખુટી જશે તેથી જ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો અતિ મહત્ત્વનો છે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા પાકોને જુદા જુદા અંતરે વાવવામાં આવે છે તે માટે અંતરને અનુરૂપ અને પાકની જરૂરિયાત મુજબ વિવિધ પિયત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જે નીચે મુજબ છે.
– ચીલા ચાલુપિયત પદ્ધતિઓ:
– નીક પાળા પદ્ધતિ
– લાંબા ક્યારા પદ્ધતિ
– ગોળ ખામણા પદ્ધતિ
– ચાસ (ફરો) પદ્ધતિ
– સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ:
– ટપક પિયત પદ્ધતિ
– ફુવારા પિયત પદ્ધતિ
– સૂક્ષ્મ ફુવારા પિયત પદ્ધતિ
– દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામોનો પ્રારંભ
સમગ્ર દેશમાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરન્દ્ર મોદીએ વર્ષ 2019માં રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં જનભાગીદારીથી જળસંચયના કામો ઉપાડ્યાં છે.જેમાં ગુજરાતમાં બનાસકાંઠા જે ભગર્ભ જળ માટે ડાર્ક ઝોનમાં આવે છે તે જીલ્લામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ 50 હજાર રિચાર્જ કૂવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે.એમાં બનાસ ડેરીના સહયોગથી 25 હજાર રિચાર્જ કૂવા બનવાયા છે.
– ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા ડાર્ક ઝોનમાં
દેશમાં 18 ટકા પશુઓ છે.જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ પશુઓ છે.આ પશુ તેમજ જીવન સૃષ્ટિ માટે પાણી અગત્યનું પરિબળ છે.પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં 4 ટકા પીવાનું પાણી ઉપલબ્ધ છે.દેશમાં પાણીની વાત કરીએ તો 700 પૈકી 150 જિલ્લા ડાર્ક ઝોનમાં આવે છે,જેમાં ઉત્તર ગુજરાતનો સૌથી મોટો જિલ્લો બનાસકાંઠા પણ ડાર્ક ઝોનમાં આવેલ છે.બનાસકાંઠા જિલ્લાને ડાર્ક ઝોનમાંથી બહાર નીકાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં છેલ્લા કેટલાક વર્ષથી કામ કરવામાં આવી રહ્યું છે.
– ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં
ખેતરનું પાણી ખેતરમાં તથા સીમનું પાણી સીમમાં રહે તે માટે બનાસ ડેરીએ બીડું ઝડપ્યું છે.બનાસ ડેરી જિલ્લામાં હજાર રિચાર્જ કુવા બનાવી તેમાં 50 ટકા સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવે છે.
ધરતીમાં વધુમાં પાણી ઉતારી શકાય તે માટે આગામી 4 વર્ષ આ અભિયાન ચલાવી તથા આગામી 10 વર્ષનું આયોજન કરીએ.બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે બનાસ ડેરી દ્વારા પર્વતો પર સિડ બોલ ફેંકીને પર્વતોને હરિયાળા બનાવવા માટે કામ કર્યું છે.
– જળ સંરક્ષણનો ઉદ્દેશ્ય
પાણીના કુદરતી સંસાધનોનો ટકાઉ સંચાલન કરવા,જળ મંડળનું રક્ષણ કરવાનો,અને વર્તમાન અને ભવિષ્યની માનવ માગને પીર્ણ કરવાનો છે.માંગને પૂર્ણ કરવા જળ સંરક્ષણ પાણીની અછતને ટાળવાનું શક્ય બજળ સંરક્ષણનો ઉદ્દેશ્ય પાણીના કુદરતી સંસાધનોનું ટકાઉ સંચાલન કરવાનો, જળ મંડળનું રક્ષણ કરવાનો અને વર્તમાન અને ભવિષ્યની માનવ માંગને પૂર્ણ કરવાનો,પાણીની અછતને ટાળવાનું શક્ય બનાવે છે.
– “જળ કાર્યક્ષમતા” અને “જળ સંરક્ષણ”
“જળ કાર્યક્ષમતા” અને “જળ સંરક્ષણ” આ બંને શબ્દો એકબીજા સાથે જોડાયેલા હોવા છતાં,તે સમાન નથી.પાણીની કાર્યક્ષમતા એ એક એવો શબ્દ છે જે નવી ટેકનોલોજી જેવા સુધારાઓનો ઉલ્લેખ કરે છે જે પાણીના ઉપયોગની કાર્યક્ષમતા અને ઘટાડામાં મદદ કરે છે બીજી બાજુ,પાણી સંરક્ષણ એ પાણીના સંરક્ષણની ક્રિયા માટેનો શબ્દ છે.ટૂંકમાં, પાણીની કાર્યક્ષમતા એ વિકાસ અને નવીનતાઓ સાથે સંબંધિત છે જે પાણીનો વધુ કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે અને પાણી સંરક્ષણ એ પાણી બચાવવા અથવા સાચવવાનું કાર્ય છે.
– કૃષિ ઉપયોગમાં જળ સંચય
પાણી એ સિંચાઈનો એક આવશ્યક ભાગ છે.છોડ હંમેશા ભૂગર્ભજળનો ઘણો ઉપયોગ કરે છે તેથી ભૂગર્ભજળ ફરી ભરવું જોઈએ.
સ્પ્રિંકલર્સનો ઉપયોગ કરીને ઓવરહેડ સિંચાઈમાં વધુ સમાન અને નિયંત્રિત વિતરણ પેટર્નની સંભાવના છે.ટપક પદ્ધતિ એ સૌથી ખર્ચાળ અને ઓછામાં ઓછો ઉપયોગમાં લેવાતો પ્રકાર છે,પરંતુ તે છોડના મૂળ સુધી ઓછામાં ઓછા નુકસાન સાથે પાણી પહોંચાડવાની ક્ષમતા પ્રદાન કરે છે.જો કે,ટપક સિંચાઈ વધુને વધુ સસ્તું બની રહ્યું છે,ખાસ કરીને ઘરના માળી માટે અને વધતા પાણીના દરોને ધ્યાનમાં રાખીને. ટપક સિંચાઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવાથી બધી દિશામાં છંટકાવ કરતી સિંચાઈ પ્રણાલીઓને બદલીને દર વર્ષે 30,000 ગેલન પાણી બચાવી શકાય છે.ટપક સિંચાઈ જેવી સસ્તી અસરકારક પદ્ધતિઓ પણ છે જેમ કે ભીનાશ પડતી નળીઓનો ઉપયોગ જેને બાષ્પીભવન દૂર કરવા માટે ઉગાડતા માધ્યમમાં પણ ડૂબાડી શકાય છે.
– ગુજરાતમાં “જળ સંચય જન ભાગીદારી” પહેલનો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 સપ્ટેમ્બર,2024ના રોજ ગુજરાતનાં સુરતમાં સામુદાયિક ભાગીદારી સાથે સંયુક્ત પ્રયાસ સ્વરૂપે હાથ ધરવામાં આવેલી પહેલ “જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ કરાવ્યો હતો.આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇનની ગતિને મજબૂત બનાવવાનો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે જળસુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય હિતધારકોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો છે.આ પહેલ એ દર્શાવવાનો પ્રયાસ કરે છે કે કેવી રીતે સામુદાયિક જોડાણ અને માલિકી મોદીની જળ સુરક્ષાની દ્રષ્ટિને અસરકારક રીતે ટેકો આપી શકે છે અને આગળ વધારી શકે છે. પહેલ હેઠળ બાંધવામાં આવેલા રિચાર્જ સ્ટ્રક્ચર્સ વરસાદી પાણીના સંગ્રહને વધારવામાં અને લાંબા ગાળાના પાણીના ટકાઉપણું પ્રાપ્ત કરવામાં સહાયક બનશે.
– જળ સંચય જન ભાગીદારી પહેલનો ઉદ્દેશ્ય :
જળ સંચય જન ભાગીદારી પહેલ જળ સંરક્ષણને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવાના વડાપ્રધાનના અડગ સંકલ્પનું પ્રતિબિંબ છે. કાયમી જળ વ્યવસ્થાપન માટેની તેમની હિમાયત, જેમ કે તેમના ભાષણોમાં સતત ભાર મૂકવામાં આવ્યો હતો, આ પહેલને પ્રેરણા આપી છે. વડાપ્રધાને અવારનવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે, જળ સુરક્ષા એ માત્ર નીતિગત ઉદ્દેશ જ નથી, પણ એક એવું અભિયાન છે, જેમાં દરેક નાગરિક, ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓનાં સહિયારાં પ્રયાસોની જરૂર છે.
આ પહેલ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ બનવાનું વચન આપે છે, જે સમગ્ર ભારતમાં ભવિષ્યના જળ સંચયના પ્રયાસો માટે તખ્તો તૈયાર કરશે. ગુજરાતનું અગ્રણી મોડલ પ્રદર્શિત કરીને તેનો ઉદ્દેશ સામૂહિક કામગીરીને પ્રેરિત કરવાનો છે અને રાષ્ટ્રની સમૃદ્ધિ માટે સ્થાયી જળ વ્યવસ્થાપનના મહત્વને પ્રતિપાદિત કરવાનો છે.
– અસર અને ભવિષ્યની દ્રષ્ટિઃ
“જળ સંચય જન ભાગીદારી” પહેલનો ઉદ્દેશ CAR -સંચાલિત પહેલો માટે એક પ્રતિકૃતિ મોડેલ બનાવીને જળ સંરક્ષણ તરફના પ્રયાસોને વેગ આપવાનો છે. આ કાર્યક્રમ ગુજરાતની સફળતાને પ્રદર્શિત કરશે, અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ આવી જ વ્યૂહરચના અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે.આ પ્રક્ષેપણ કાર્યક્રમમાં દેશભરના રાજ્ય નોડલ અધિકારીઓની સંડોવણી આ પહેલના રાષ્ટ્રીય મહત્વને રેખાંકિત કરે છે.
” જળ સંચય જન ભાગીદારી”નો શુભારંભ ભારતની જળ સુરક્ષા તરફની યાત્રામાં એક મહત્વપૂર્ણ પગલું સૂચવે છે. સામુદાયિક ભાગીદારી અને સીએસઆર ભંડોળની શક્તિનો ઉપયોગ કરીને, આ પહેલ દેશભરમાં જળ સંચયના પ્રયત્નો માટે એક નવું ધોરણ સ્થાપિત કરવા માટે તૈયાર છે, જે આવનારી પેઢીઓ માટે કાયમી જળ ભવિષ્યને સુનિશ્ચિત કરશે.
– PM મોદીની મન કી બાતમાં જળ સંચયની વાત
વડાપ્રધાનમં નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ ભાષણમાં જળ સંચયને પ્રોત્સાહન આપ્યું હતું, જેનાથી પ્રેરિત થઈને જળ શક્તિ અભિયાન ની શરૂઆત વર્ષ 2019માં દેશના 256 જળ સંકટગ્રસ્ત જિલ્લાઓમાં 2,836 બ્લોક્સમાંથી 1,592 બ્લોક્સમાં થઈ હતી.કોવિડ રોગચાળાને કારણે JSA 2020માં શરૂ કરી શકાયું ન હતું. 2021માં,”જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન”ની થીમ સાથે “કેચ ધ રેઇન – જ્યાં તે પડે છે જ્યારે તે પડે છે” થીમ સાથે વડાપ્રધાન દ્વારા દેશભરના તમામ જિલ્લાઓના તમામ બ્લોક્સને આવરી લેવા માટે કેચ ધ રેઇન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. “જળ શક્તિ અભિયાન: કેચ ધ રેઇન” અભિયાન હવે વાર્ષિક સુવિધા બની ગયું છે અને જેએસએની પાંચમી આવૃત્તિ 09.03.2024ના રોજ મુખ્ય થીમ “નારી શક્તિ સે જળ શક્તિ” સાથે શરૂ કરવામાં આવી હતી.
– ગુજરાતના 92 ડેમોમાં માત્ર 30 ટકા જ પાણી
- ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં માત્ર 34.13 ટકા પાણીનો જથ્થો
- મઘ્ય ગુજરાતમાં 17 ડેમોમાં 58.35 ટકા પાણીનો જથ્થો
- દક્ષિણ ગુજરાતમાં પણ 13 ડેમોમાં 5046.35 એમસીએમ પાણીનો જથ્થો
- કચ્છમાં ડેમોમાં 37.94 ટકા પાણીનો જથ્થો
- સૌરાષ્ટ્રના ડેમોમાં 40.37 ટકા પાણીનો જથ્થો
– ગુજરાતનાં 92 ડેમોમાં પાણીની માત્રા 30 ટકાથી ઓછો પાણીનો જથ્થો :
બનાસકાંઠાના ડેમોમાં 11.37 ટકા પાણીનો જથ્થો
સાબરકાંઠામાં 2 ટકા પાણીનો જથ્થો
દ્વારકામાં 12 ટકા પાણીનો જથ્થો
મોરબીમાં 28 ટકા પાણીનો જથ્થો
સુરેન્દ્રનગરના ડેમોમાં 3 પાણીનો જથ્થો
– જળ સંચય એ ભાવિ પેઢી માટે કરવાનું પુણ્યકામ
‘જળસંચય યોજના એ માત્ર યોજના નહી પરંતુ ભાવિ પેઢી માટે આપણે કરવાનું એક પુણ્યનું કામ છે.એટલે જ જળ એ માત્ર સંશાધનનો નહીં પરંતુ સમગ્ર માનવતા નામ ભવિષ્યનો મુદ્દો છે’.
એક કાર્યક્રમને વર્ચ્યુઅલી સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે પાણી માત્ર સંશાધનનો પ્રશ્ન નથી પરંતુ જીવન અને માનવતાના ભવિષ્યનો પ્રશ્ન છે.જળસંચય યોજના એ માત્ર યોજના નહી પુણ્યનું કામ હોવાનું જણાવતાં તેઓએ કહ્યું હતું કે,આ દિશામાં જનભાગીદારી થકી જે અભૂતપૂર્વ પરિણામો જોવા મળશે તે આગામી દિવસોમાં દુનિયા માટે પ્રેરણારૂપ સાબિત થશે.હાલના તબક્કે દેશના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાના તાંડવને લીધે પુરની સમસ્યા અંગે પણ પોતાની ચિંતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે,સંકટના સમયે દેશના નાગરિકો ખભેખભા મિલાવીને એકબીજાને મદદરૂપ થઈ રહ્યા છે.
– કેચ ધ રેઈન-સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો શુભારંભ
મહેસાણા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો પ્રારંભ કરાયો,4 એપ્રિલથી 31 મે 2025 સુધી સમગ્ર ગુજરાતમાં જળસંચયનું આ મહાઅભિયાન હાથ ધરાયું.સુજલામ સુફલામ જળ અભિયાનથી 7 વર્ષમાં 1 લાખ 7 હજારથી વધુ જળસંચયના કામો થયા,જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 19 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો,199.60 લાખ માનવ દિન રોજગારી ઊભી થઈ,ગુજરાતના આ મહાઅભિયાનને મળ્યા છે 2 સ્કોચ એવોર્ડ
– નલ સે જલ યોજનાએ રૂપિયા 8.5 લાખ કરોડ બચાવ્યા
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે દેશમાં નલ સે જલ યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, આ યોજના થકી અનેક સારા પરિણામો જોવા મળી રહ્યા છે. એક તબક્કે ગામડાઓમાં દુર દુર સુધી પાણી ભરવા માટે જતી બહેનોને હવે ઘરમાં જ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. મહિલાઓના રોજના 5.5 કરોડ કલાકની બચત થઈ રહી છે. મહિલાઓને પોતાના બાળકોની પાછળ અને અન્ય આર્થિક ઉપાર્જન માટે સમય મળી રહ્યો છે. એટલું જ નહી આ યોજનાને કારણે ગ્રામ્ય કક્ષાએ ગેસ્ટ્રૉ, ડાયેરિયા જેવી બિમારીઓથી પણ મોટા પ્રમાણમાં રાહત મળી છે. એ રીતે જોતાં આ યોજના થકી વર્ષે 8.4 કરોડ રૂપિયાની બચત થઈ રહી છે.આ રૂપિયા અન્ય વિકાસ કાર્યોમાં ઉપયોગ થઈ રહ્યો છે.
– સુજલામ સુફલામ જળ સંચય અભિયાનથી કેવા કામો થયા
- 1 લાખ 7 હજારથી વધુ જળસંચયના કામો થયા
- જળસંગ્રહ ક્ષમતામાં 1 લાખ 19 હજાર લાખ ઘન ફૂટ વધારો થયો
- 199.60 લાખ માનવ દિન રોજગારી ઊભી થઈ
- ગુજરાતના આ મહાઅભિયાનને મળ્યા છે 2 સ્કોચ એવોર્ડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કેચ ધ રેઈન આહવાન અંતર્ગત કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો મહેસાણા જિલ્લાના દવાડાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો.ગુજરાતમાં આ વર્ષે કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 તા. 4 એપ્રિલથી તા. 31 મે 2025 સુધી હાથ ધરાશે.
કેચ ધ રેઈન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0 માટે રાજ્ય સરકારના જળ સંપત્તિ, પાણી પુરવઠા, સરદાર સરોવર નર્મદા નિગમ, ગ્રામ વિકાસ, વન પર્યાવરણ, શહેરી વિકાસ સહિતના વિવિધ વિભાગો તમામ જિલ્લાઓમાં લોકભાગીદારી દ્વારા જળસંચયના કામો હાથ ધરશે. જેમાં હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેકડેમો-જળાશયોનું ડીસીલ્ટીંગ, ડેમેજ ચેકડેમોના રીપેરીંગ, નહેરો તથા કાંસની મરામત, રેઈન વોટર હાર્વેસ્ટીંગ, ખેત તલાવડી, માટીપાળાની સફાઇ વગેરેનો સમાવેશ કરવામાં આવશે.
– દુષ્કાળને દેશવટો આપવા જળસંચય અને તેમાં લોકભાગીદારી કારગર
આ પ્રકારે ઉનાળામાં પાણીની અછતને પહોંચી વળવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વા કરવામાં આવતુ આગોતરું આયોજન એટલે ” જળ સંચય અભિયાન ” જેના થકી ચોમાસામાં નદી-નાળા,તળાવ વગેરેમાં પાણીની આવક થતા કૂવા,બોરવેલ વગેરે ભૂગર્ભ જળસ્તર વધે છે.અને તેનાથી લોકોને નાના હેન્ડ પંપમાં પણ પાણીનું સ્તર ઉચુ આવતા તે પીવાલાયક બની રહે છે.અને સરકારના અભિયાન થકી ગજરાતમાંથી પાણીની અછત ધીમે ધીમે દૂર થઈ રહી છે.અને દુષ્કાળને દેશવટો આપવામાં જળ સંચય અને તેમાં જનભાગીદારી ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે.