KEY POINTS :
- “મહારાષ્ટ્રના નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર્તા વિકાસ વર્ગ – દ્વિતીય સંપન્ન થયો”
- “કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપન પ્રસંગે સરસંઘચાલક ડો.મોહન ભાગવત જી ઉપસ્થિત રહ્યા”
- “સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા”
- “નાગપુર સંધ મુખ્યાલય સ્થિત સ્મૃતિ મંદિરે બંને મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી”
- “પહેલા ધર્માંતરણ વિશે કોઈ ચર્ચા નહોતી થતી,હવે તેની ચર્ચા થઈ રહી છ” : અરવિંદ નેતામ
- ” ‘ડિ-લિસ્ટિંગ’ ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે છે” : અરવિંદ નેતામ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર્તા વિકાસ વર્ગ-દ્વિતીય નાગપુર ખાતે યોજાયો.25 દિવસીય આ વર્ગનો સમાપન સમારોહ 5 જૂન 2025ને ગુરુવારે સાંજે યોજાયો જેમાં પ.પૂ.સરસંઘચાલક ડો.મોહન ભાગવત જી તેમજ વર્ગના સમાપન સમારોહના મુખ્ય અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદજી નેતામ ઉપસ્થિત રહ્યા હતા.સૌ પ્રથમ સરસંઘચાલક ડો.મોહન ભાગવત તેમજ મુખ્ય અતિથિ અરવિંદજી નેતામે સ્મૃતિ મંદિર ખાતે ડૉ.હેડગેવારનજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વર્ગ સમાપન સ્થળે પહોંચ્યા હતા.બાદમાં ધ્વજારોહણ,પ્રાર્થના,શારિરિક પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા.
– અતિથિ વિશેષ અરવિંદ નેતામ જીનું સંબોધન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વર્ગ- દ્વિતીયના સમાપન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદ નેતામજીએ પોતાના સંબોધનમાં આદિવાસી સમાજ,ધર્માંતરણ,અને નક્સલવાદ અને આતંકવાદ પર વાત કરી હતી.
– સંઘના રચનાત્મક પ્રયાસોમાં શ્રદ્ધા વધી
સમાપન સમારોહના મુખ્ય અતિથિ વિશેષ પૂર્વ કેન્દ્રીય મંત્રી અરવિંદજી નેતામે જણાવ્યું હતું કે સંઘના રચનાત્મક પ્રયાસોમાં શ્રદ્ધા વધી રહી છે.પહેલા ધર્માંતરણ વિશે કોઈ ચર્ચા નહોતી થતી,હવે તેની ચર્ચા થઈ રહી છે.સંઘની મદદથી,સમાજ આ દિશામાં કંઈક કામ કરશે અને તે ચોક્કસપણે પરિણામો આપશે. સંઘના સમર્થન વિના સમાજ કંઈ કરી શકે નહીં. હું બે દિવસ પહેલા નાગપુર આવ્યો છું અને સંઘના કાર્યક્રમને ખૂબ નજીકથી જોવાની તક મળી રહી છે.મને ભૂતકાળમાં બહુ અનુભવ નહોતો,પરંતુ મને ઘણું જાણવાની અને શીખવાની તક મળી છે.આટલી લાંબી સફર પછી સંઘ અહીં સુધી પહોંચ્યો છે.દેશની એકતા,અખંડિતતા અને સામાજિક સૌહાર્દ માટે સંઘે જે કાર્ય કર્યું છે તે અન્ય કોઈ સંગઠને કર્યું નથી.
– સૌથી માટી સમસ્યા ધર્માંતરણ
મને લાગે છે કે સૌથી મોટી સમસ્યા ધર્માંતરણ છે.કોઈ પણ સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લીધી નથી. સત્તામાં આવ્યા પછી,આ દેશમાં એકબીજા પર દોષારોપણ કરવાનું કામ ચાલી રહ્યું છે,કોઈ નક્કર કાર્ય થઈ રહ્યું નથી.મને લાગે છે કે સંઘ એક એવી સંસ્થા છે જે મદદ કરી શકે છે અને રસ્તો બતાવી શકે છે.હું બસ્તરથી આવું છું અને આપણે બે મુખ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ: નક્સલવાદ અને ધર્મ પરિવર્તન.આદિવાસી સમાજ અને સંઘ બંનેએ તેના વિશે કંઈક કરવું જોઈએ.
– દેશમાં ઉદારીકરણ પછી,વિસ્થાપન ખૂબ જ ઝડપથી વધ્યું
એ વાત સાચી છે કે આ દેશ ઔદ્યોગિકરણ વિના વિકાસ કરી શકતો નથી,પરંતુ એવું લાગે છે કે આપણે, આદિવાસી લોકોએ, આ દેશમાં વિસ્થાપનનો કરાર લીધો છે. ઉદારીકરણ પછી, વિસ્થાપન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. પાણી,જંગલ અને જમીન જોખમમાં છે.હું સંઘને કહેવા માંગુ છું કે આ દેશમાં કાયદાનું પાલન થવું જોઈએ. હું કહેવા માંગુ છું કે જ્યાં સુધી સંઘ પુનર્વસન અને જમીન બાબતોમાં દખલ નહીં કરે ત્યાં સુધી આ દિશામાં કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવશે નહીં. સંઘે ‘પેસા એક્ટ’ પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને તેનો ઉકેલ શોધવો જોઈએ.
– ‘ડિ-લિસ્ટિંગ’ ધર્માંતરણ રોકવા અસરકારક હથિયાર બની શકે
સંઘે શરૂ કરેલી એક ચળવળ ‘ડિ-લિસ્ટિંગ’ છે.પહેલા અમે આ સાથે સહમત ન હતા, પરંતુ તમારા રાજ્ય એકમ સાથે વાત કર્યા પછી, અમને લાગ્યું કે ‘ડિ-લિસ્ટિંગ’ ધર્માંતરણ રોકવા માટે એક અસરકારક હથિયાર બની શકે છે. હવે અમે તેના પક્ષમાં વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ દેશમાં ધર્મ પરિવર્તન રોકવા માટે કડક કાયદા બનાવવા જોઈએ. આ કાર્ય સમાજને સાથે લઈને જ શક્ય બની શકે છે. આ તમારો અને અમારો સામાન્ય હેતુ છે. અમે સંઘ સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગીએ છીએ. અમે તમને મદદ કરવાના એકમાત્ર હેતુથી અહીં આવ્યા છીએ. મને આમંત્રણ આપવા બદલ આભાર.