હેડલાઈન :
- ગુજરાત વિધાનસભામાં વર્ષ 2025-26નું સામાન્ય બજેટ રજૂ કર્યુ
- નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યુ
- નાણામંત્રીની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે જોગવાઈ
- બજેટ 2025 માં આ વિભાગ માટે રૂ.23,385 કરોડની જોગવાઈ
- વર્ષ 2023-24 ના બજેટ કરતા આ બજેટમાં 16.35 ટકાનો વધારો
- સરકારે માતા અને બાળ મૃત્યદર ઘટાડવા પર બજેટમાં ભાર મુક્યો
- વર્ષ 2023 સુધામાં માતા-બાળ મૃત્યુદર 50 ટકા સુધી ઘટાડવા પ્રયાસ
રાજ્ય સરકાર વર્ષ 2030 સુધીમાં માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં 50 ટકા ઘટાડવાના ધ્યેય સાથે રાજ્યના તમામ લોકોની આરોગ્ય અને સુખાકારી વધુ મજબૂત બનાવવા કાર્યશીલ છે.જે માટે આ વિભાગના
રૂ.20,100 કરોડના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી રી.23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
– રૂ. 20,100 કરોડના બજેટમાં 16.35 ટકાનો વધારો કરી 23,385 કરોડની જોગવાઈ કરી છે.
– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ.23,385 કરોડની જોગવાઈ
– વર્ષ 2023-24 ના બજેટમાં નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલ Good Helth and Well Being માં ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ સ્થાન પ્રા્ત કરેલ છે.
– પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો,ગરીબ અને મધ્યમ વર્ગના એમ કુલ મળી અંદાજે 2 કરોડ 67 લાખ લોકોને કેશલેસ સારવાર માટે રૂ,3676 કરોડની જોગવાઈ
– G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલો માટે રૂ.1392 કરોડની જોગવાઈ
– આરોગ્ય સુવિધાઓના સુદ્રઢિકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ બેન્કના સહકારથી શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ માટે રૂ.400 કરોડની જોગવાઈ
– અમદાવાદની જેમ મેડીસિટી પ્રકારની ઝોન વાઈઝ સુવધાઓ ઉપલબ્ધ બનાવવા માટે વડોદરા ખાતે મલ્ટિ સ્પેશ્યાલિટી તેમજ કાર્ડિયાક માટેની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ નિર્માણાધિન છે. તે ઉપરાંત સુરત ખાતે કાર્ડિયાક,કિડની અને યુરોલોજી સેવાઓ શરૂ કરવા રૂ.231 કરોડની જોગવાઈ
– કેન્સર દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ,અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે તે માટે વલસાડ,ગોધરા,હિંમતનગર અને પોરબંદર ખાતે સારવાર શરૂ કરવા રૂ.198 કરોડની જોગવાઈ
– બી.જે.મેડિકલ કોલેજ-અમદાવાદ,મેડીકલ કોલેજ- વડોદરા અને એમ.પી.શાહ મેડીકલ કોલેજ-જામનગર ખાતે PG ના તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા રી.100 કરોડની જોગવાઈ
– સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન હોસ્પિટલો ખાતે તાત્કાલિક સારવારની સેવાઓ માટે રૂ.52 કરોડની જોગવાઈ
– આદિજાતિ અને સામાન્ય વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સાધન સામગ્રી પૂરી પાડવા રૂ.52 કરોડની જોગવાઈ
– એમ્બ્યુલન્સન સુવિધા સુદ્રઢ કરવા માટે 108 ઈનરજન્સિ સેવા હેઠળ 200 નવી એમ્બ્યુલન્સ માટે રૂ.48 કરોડની જોગવાઈ
– સુરત અને વડોદરા ખાતે ગાયનેક,પિડિયાટ્રીક વિભાગ અને સંલગ્ન નિયોનેટલ ICU,ઓબ્સેટ્રેટિક ICU,ગાયનેક ICU વગેરેની સેવાઓ તથા પિડિયાટ્રિક સર્જરી વિભાગ શરૂ કરવા રૂ.44 કરોડની જોગવાઈ
– નર્સિંગ કોલેજ,સુરત અને જામનગર ખાતે વિદ્યાર્થીનીઓ માટે ગર્લ્સ હોસ્ટેલનું બાંધકામ કરવા રૂ.41 કરોડની જોગવાઈ
– ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર માટે ગાંધીનગર-અમજાવાદ ખાતે ખોરક અને ઔષધના નમૂના તેમજ જૂનાગઢ,મહેસાણા અને વલસાડ ખાતે ખોરીક નમૂનાની ચકાસણી માટે આધુનિક પ્રયોગશાળા ઉભી કરવા રૂ.28 કરોડની જોગવાઈ
– ગવર્મેન્ટ સ્પાઈન ઈન્ટીટ્યુટ,અમદાવાદ ખાતે સ્પાઈનલ સર્જરી,ઓક્યુપેશનલ થેરાપી અને પ્રોસ્થેટીક અને ઓર્થોચીક વિભાગોમાં શૈક્ષણિક હેતુ માટે રૂ. 10 કરોડની જોગવાઈ
– ઔષધ નમૂનાઓનું ઓન ધ સ્પોટ ટેસ્ટિંગ કરવા માટે રૂ.10 કરોડની જોગવાઈ
– આયુષ સેવાઓ બનાવવા સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજ,હોસ્રિટલો તથા દવાખાનામાં તબાબી ઉપકરણો માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.