Monday, June 2, 2025
No Result
View All Result
Gujarati Daily Times

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
Gujarati Daily Times
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
    • ખાસ કાર્યક્રમો
    • રાશિચક્ર
    • મનોરંજન
    • વ્યાપાર
    • કાનૂની
    • ઈતિહાસ
    • વાયરલ વીડિયો
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
No Result
View All Result
Gujarati Daily Times
No Result
View All Result

Latest News

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
  • જીવનશૈલી
Home જનરલ

વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો : ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક,શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વ.રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી બે વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું.

Hasmukh Dodiya by Hasmukh Dodiya
Apr 12, 2025, 04:45 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

હેડલાઈન :

  • રાજપીપલા ખાતે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” વિતરણ સમારોહ
  • રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા
  • રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું
  • 14 આદિજાતી જિલ્લાના 53 તાલુકાના આદિજાતિ સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ
  • વડાપ્રધાન મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો : CM
  • PM ના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો : CM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રાજપીપલાના પ્રતિષ્ઠિત સમાજ સુધારક,શિક્ષણવિદ અને આદિવાસીઓના કલ્યાણને આજીવન સમર્પિત સ્વ.રત્નસિંહજી મહિડાની સ્મૃતિમાં રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડથી બે વ્યક્તિ વિશેષનું સન્માન કર્યું હતું.આ વર્ષથી રત્નસિંહ મહિડા મેમોરિયલ એવોર્ડ પ્રથમવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે અને આ પ્રથમ એવોર્ડ સન્માન બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.મધુકર પાડવી અને આંધ્ર યુનિવર્સિટી વિશાખાપટ્ટનમના પ્રથમ મહિલા આદિવાસી વાઈસ ચાન્સેલર ડો. એસ. પ્રસન્નાને એનાયત કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સન્માન અર્પણ કરતા સ્વર્ગીય રત્નસિંહ મહિડાની આદિવાસી કલ્યાણ અને શિક્ષણ માટેની સેવાકીય પ્રવૃત્તિઓની પ્રસંશા કરી કરી હતી.તેમણે કહ્યું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના 150મા જન્મ જયંતિ વર્ષે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીના આ વર્ષમાં આ એવોર્ડની શરૂઆત એક સંયોગ છે.મુખ્યમંત્રીએ સ્વ.રત્નસિંહજી મહિડાના આ વારસાને આગળ ધપાવતા તેમના પૌત્રી વિરાજકુમારી મહિડાને પણ બિરદાવ્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે,સ્વ.રત્નસિંહજી મહિડાએ શિક્ષણ દ્વારા આદિવાસીઓને સમાજના મુખ્યપ્રવાહમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને શિક્ષણનો સેવાયજ્ઞ વર્ષ 1957 માં ભરૂચ જિલ્લામાં આદિવાસી સેવા સંઘની સ્થાપનાથી શરૂ કર્યો હતો.

બાલવાટિકાથી માંડી કોલેજ સુધીની 72 જેટલી શિક્ષણ સંસ્થાઓ તેમણે કાર્યરત કરી હતી.તેમની આ મહેનતથી આદિવાસી અને છેવાડાના વંચિત લોકો માટે શિક્ષણની નવી તકો ઊભી થઈ.સ્વ.રત્નસિંહજીના સમર્પણ અને અવિરત સેવા કાર્યથી આ સમગ્ર પ્રદેશમાં આદિવાસી સમાજના સશક્તિકરણનો પાયો નંખાયો જેના પરિણામે અસંખ્ય લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન થયું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ અને સમુચિત ઉત્કર્ષ માટેના પરિણામદાયી પ્રયાસો પાછલા દશકમાં થયાછે તેની ભૂમિકા આ એવોર્ડ અર્પણ કરતા આપી હતી.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,આદિજાતિ કલ્યાણના બજેટમાં ત્રણ ગણો વધારો કરવા સાથે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનમાં 63 હજાર ગામોમાં સામાજિક માળખાકીય સુવિધાઓને વેગ આપ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે,ગુજરાતમાં પણ વડાપ્રધાનના દિશા દર્શનમાં 14 આદિજાતિ જિલ્લાના 53 તાલુકામાં આદિવાસી સમુદાયનો સર્વગ્રાહી ઉત્કર્ષ રાજ્ય સરકારે સુનિશ્ચિત કર્યો છે.આદિવાસી વિસ્તારના યુવાનોને ઘર આંગણે સ્કિલ બેઝ,વોકેશનલ,ટેકનિકલ તથા ટ્રાયબલ આર્ટ અને કલ્ચરનું ઉચ્ચ શિક્ષણ આપવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી રાજપીપલામાં બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી શરૂ થઈ છે.આદિજાતિ વિકાસ વિભાગના આ વર્ષના બજેટમાં માત્ર શિક્ષણની યોજનાઓ માટે વધારાના 3300 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે,વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ યોગદાન આપનાર આદિવાસી સમાજના વ્યક્તિઓને પુરસ્કારથી સન્માનવાનો આ ઉપક્રમ આદિજાતિ ઉત્કર્ષની નવી પ્રેરણા પુરી પાડશે.આ વર્ષે પ્રથમ મેમોરિયલ એવોર્ડ પણ સ્વ.રત્નસિંહજીના આદિજાતિના શિક્ષણના પ્રયાસોને વેગ આપનાર શિક્ષણ સેવા સાથે સંકળાયેલા બે વ્યક્તિઓને મળ્યો છે,જે આદિવાસી સમાજમાં શિક્ષણની જ્યોત વધુ પ્રજ્વલિત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે,રાજપીપલાની આ પાવન ભૂમિ છે.એક સમયે મીની કાશ્મિર ગણાતા રાજપીપલામાં ગુજરાતી-ભોજપુરી ફિલ્મોનું પણ શુટીંગ થતું હતું.રાજપીપલાની ભૂમિને ઉજાગર કરવા માટે તે વખતના મહારાજા સાહેબનો પણ સિંહફાળો રહ્યો છે.જેમણે પણ આદિવાસી સમાજને ધ્યાનમાં રાખી શિક્ષણને પાધાન્ય આપ્યું હતું.નર્મદા સહિત ભરૂચ જિલ્લામાં સ્કૂલ,કોલેજો અને અન્ય સરકારી કચેરીઓ હાલમાં પણ મહારાજા તરફથી ભેટમાં મળેલા મકાનોમાં ચાલી રહી છે.એક સમયે શિક્ષણનું હબ બનેલું રાજપીપલા મિનિ વિદ્યાનગર પણ કહેવાતું હતું.જેને સ્વ.રત્નસિંહજી મહેડાએ પ્રસ્થાપિત કરી આગળ ધપાવ્યું હતું.આદિવાસી સમાજમાં જાગૃતિ માટે પાયાના શિક્ષણથી લઈને અનેક ક્ષેત્રે અવિરત કાર્ય કરી અમૂલ્ય યોગદાન આપ્યું હતું.તેમના પૌત્રી વિરાજ કુમારીને અભિનંદન પાઠવી તેમના દાદાના કાર્યને બિરદાવવા માટે સ્થાપિત કરેલા આ ભગીરથ કાર્યની સરાહના કરી હતી.

આ કાર્યક્રમમાં એવોર્ડથી સન્માનિત થયેલા બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્રા યુનિવર્સિટી-વિશાખાપટ્ટનમના ડો.એસ પ્રશન્ના શ્રીએ પણ પોતાના પ્રતિભાવો પ્રસ્તુત કર્યા હતા.રાજપીપલામાં રહેતા અને વિવિધ ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ કૌશલ્ય પ્રદાન કરી જિલ્લાનું નામ રોશન કરનાર પાંચ વિશિષ્ટ નાગરિકોને પણ ઓએનજીસીના સહયોગથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Tags: "Ratnasinhji Mahida Memorial AwardBhupendra patelBudget For TribalFirst TimeGujaratGujarat BudgetGujarat CMGujarat GovermentNarendra ModiNARMDAPm ModiRajpiplaSLIDERTOP NEWS
ShareTweetSendShare

Related News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો
આંતરરાષ્ટ્રીય

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન
જનરલ

દેશનું ગ્રોથ એન્જિન બન્યુ ગુજરાત,વિકાસની હરણફાળમાં “જ્યોતિગ્રામ યોજના”નું યોગદાન

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન
કલા અને સંસ્કૃતિ

સરકારી યોજનાઓથી બદલાઈ રહેલું આદિવાસી જીવન

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકાર દ્વારા શા માટે વધુ OCI કાર્ડ રદ્દ કરવામાં આવ્યા ? જાણો આકરા નાગરિકતા નિયમ પાછળનું સત્ય અને વિવાદના તથ્યો

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો
આંતરરાષ્ટ્રીય

ભારત સરકારે વર્ષ 2014 થી 2025 સુધી સંરક્ષણ બજેટમાં ક્રમશ: વૃદ્ધિ,જાણો ઓપરેશન સિંદૂર બાદ કેટલો ઉમેરો કર્યો

Latest News

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

રાની કી વાવ : વિશ્વ વિરાસત તેમજ શિલ્પ-સ્થાપત્ય અને કલા સંસ્કૃતિનો બેનમુન નમૂનો

PM મોદીએ ભોપાલમાં દેવી અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતિ નિમિત્તે મહિલા સંમેલન સંબોધ્યુ

PM મોદીની મધ્યપ્રદેશની મુલાકાત,ભોપાલથી વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “દેવી અહલ્યાબાઈ ભારતની વિરાસતના મહાન રક્ષક હતા

જો તમે ગોળી ચલાવો છો,તો માની લો કે ગોળીનો જવાબ ગોળીથી આપવામાં આવશે : PM મોદી

PM મોદીએ અહલ્યાબાઈ હોલકરની જન્મજયંતિ નિમિત્તે ટપાલ ટિકિટ-સ્મારક સિક્કો બહાર પાડ્યો

ઉત્તર પ્રદેશ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનપુર મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાને લીલી ઝંડી આપી

વડાપ્રધાન મોદીએ કાનપુરથી રૂ.47,600 કરોડના 15 વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ-ઉદ્ઘાટન કર્યા

સમગ્ર દુનિયાએ ‘ઓપરેશન સિંદૂર’ના રૂપમાં આપણી બહેનોનો એ જ ગુસ્સો જોયો : PM મોદી

આપણે બધા પુત્રી ઐષ્ણ્યા દ્વિવેદીની પીડા,વેદના,આંતરિક ગુસ્સો અનુભવી શકીએ છીએ : PM મોદી

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • રાષ્ટ્રીય
  • રાજ્ય
  • આંતરરાષ્ટ્રીય
  • વિડિઓઝ
  • રાજકારણ
  • વ્યાપાર
  • મનોરંજન
  • રમત-ગમત
  • Opinion
    • જીવનશૈલી
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Gujarati Daily Times, 2024 - All Rights Reserved.